મને વડાપ્રધાન બનવાની લાલચ નથી: અડવાણી

પોતાના રાજકીય જીવનના અંતિમ પડાવ પર ચાલી રહેલા લાલ કૃષ્ણ અડવાણીનું સપનું હવે ધૂંધળુ બની ગયું છે, રાજકીય સમજણ પાર્ટીને દિશા બતાવવા માટે કાફી છે.
લાલ કૃષ્ણ અડવાણીએ પોતાના 85મા જન્મદિવસે મિડીયા સાથેની વાતચીત દરમિયાન તેમને તેમના જીવનની કેટલીક મહત્વપૂર્ણ પળોની ચર્ચા કરી. આ દરમિયાન તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે વડાપ્રધાન ન બની શક્યા તો અફસોસ છે, તો તેમની આંખોમાં પાણી આવી ગયું હતું, પરંતુ તેમના શબ્દો કહી રહ્યાં હતા કે તેમને કોઇ અફસોસ નથી. તેમને કહ્યું હતું કે વિપક્ષના નેતા તરીકે તેમને જે પણ કર્યું છે તેનાથી તે સંતુષ્ટ છે.
નિતિન ગડકરી સાથેના સંબંધો અંગે પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું હતું કે આ બધી નકામી વાતો છે. ભાજપની અંદર કોઇપણ એવી વ્યક્તિ નથી, જેની સાથે મારો ખરાબ સંબંધ હોય. આ બધુ વિરોધી પક્ષોનો ભાજપને બદનામ કરવાનો સ્ટંટ છે.












Click it and Unblock the Notifications
