મને વડાપ્રધાન બનવાની લાલચ નથી: અડવાણી

lk-advani
નવી દિલ્હી, 8 નવેમ્બર: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ પોતાના 85 વર્ષના જીવનગાળામાં તમામ પ્રકારના ઉતાર-ચઢાવ જોયા છે. તેમના જીવનમાં તેમને સખત સંઘર્ષ કર્યો છે અને વડાપ્રધાન પદની નજીક પહોંચી ગયા છે પરંતુ દરેક વખતે એવી પરિસ્થિતીઓ ઉભી થઇ કે તે વડાપ્રધાન બની ન શક્યા. લોકો ગમે તે વિચારે પરંતુ લાલ કૃષ્ણ અડવાણીને વડાપ્રધાન પદની લાલસા નથી.

પોતાના રાજકીય જીવનના અંતિમ પડાવ પર ચાલી રહેલા લાલ કૃષ્ણ અડવાણીનું સપનું હવે ધૂંધળુ બની ગયું છે, રાજકીય સમજણ પાર્ટીને દિશા બતાવવા માટે કાફી છે.

લાલ કૃષ્ણ અડવાણીએ પોતાના 85મા જન્મદિવસે મિડીયા સાથેની વાતચીત દરમિયાન તેમને તેમના જીવનની કેટલીક મહત્વપૂર્ણ પળોની ચર્ચા કરી. આ દરમિયાન તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે વડાપ્રધાન ન બની શક્યા તો અફસોસ છે, તો તેમની આંખોમાં પાણી આવી ગયું હતું, પરંતુ તેમના શબ્દો કહી રહ્યાં હતા કે તેમને કોઇ અફસોસ નથી. તેમને કહ્યું હતું કે વિપક્ષના નેતા તરીકે તેમને જે પણ કર્યું છે તેનાથી તે સંતુષ્ટ છે.

નિતિન ગડકરી સાથેના સંબંધો અંગે પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું હતું કે આ બધી નકામી વાતો છે. ભાજપની અંદર કોઇપણ એવી વ્યક્તિ નથી, જેની સાથે મારો ખરાબ સંબંધ હોય. આ બધુ વિરોધી પક્ષોનો ભાજપને બદનામ કરવાનો સ્ટંટ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X