For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મને વડાપ્રધાન બનવાની લાલચ નથી: અડવાણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

lk-advani
નવી દિલ્હી, 8 નવેમ્બર: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ પોતાના 85 વર્ષના જીવનગાળામાં તમામ પ્રકારના ઉતાર-ચઢાવ જોયા છે. તેમના જીવનમાં તેમને સખત સંઘર્ષ કર્યો છે અને વડાપ્રધાન પદની નજીક પહોંચી ગયા છે પરંતુ દરેક વખતે એવી પરિસ્થિતીઓ ઉભી થઇ કે તે વડાપ્રધાન બની ન શક્યા. લોકો ગમે તે વિચારે પરંતુ લાલ કૃષ્ણ અડવાણીને વડાપ્રધાન પદની લાલસા નથી.

પોતાના રાજકીય જીવનના અંતિમ પડાવ પર ચાલી રહેલા લાલ કૃષ્ણ અડવાણીનું સપનું હવે ધૂંધળુ બની ગયું છે, રાજકીય સમજણ પાર્ટીને દિશા બતાવવા માટે કાફી છે.

લાલ કૃષ્ણ અડવાણીએ પોતાના 85મા જન્મદિવસે મિડીયા સાથેની વાતચીત દરમિયાન તેમને તેમના જીવનની કેટલીક મહત્વપૂર્ણ પળોની ચર્ચા કરી. આ દરમિયાન તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે વડાપ્રધાન ન બની શક્યા તો અફસોસ છે, તો તેમની આંખોમાં પાણી આવી ગયું હતું, પરંતુ તેમના શબ્દો કહી રહ્યાં હતા કે તેમને કોઇ અફસોસ નથી. તેમને કહ્યું હતું કે વિપક્ષના નેતા તરીકે તેમને જે પણ કર્યું છે તેનાથી તે સંતુષ્ટ છે.

નિતિન ગડકરી સાથેના સંબંધો અંગે પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું હતું કે આ બધી નકામી વાતો છે. ભાજપની અંદર કોઇપણ એવી વ્યક્તિ નથી, જેની સાથે મારો ખરાબ સંબંધ હોય. આ બધુ વિરોધી પક્ષોનો ભાજપને બદનામ કરવાનો સ્ટંટ છે.

English summary
BJP senior leader LK Advani has said that he has no regret over the fact that he has not become Prime Minister. He expressed his view on his birthday today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X