'બિટ્ટાએ કોંગ્રેસી નેતાઓને ગણાવ્યા દગાખોર'
કોંગ્રેસના નેતાઓ પર ગુસ્સો વ્યક્ત કરતાં મનિંદરજીત સિંહ બિટ્ટાએ કહ્યું હતું કે કોંગ્રેસ નેતા આતંકવાદીના મદદગાર છે. તેમને કહ્યું હતું કે અંબિકા સોનીએ મને અફજલ ગુરૂના મુદ્દે ચુપ રહેવાનું કહ્યું હતું, જ્યારે કપિલ સિબ્બલે આતંકવાદી ભુલ્લરને બચાવવા માટ કેસ લડ્યો હતો.
કોંગ્રેસને સારો ગણાવનાર અને કોંગ્રેસી નેતાઓને દગાબાજ કહેનાર મનિંદરજીત સિંહ બિટ્ટાએ કહ્યું હતું કે સોનિયા ગાંધીએ મને મળવાનો સમય આપ્યો ન હતો. મનિંદરજીત સિંહ બિટ્ટાએ કહ્યું હતું કે હું કોંગ્રેસી હતો અને આજે પણ કોંગ્રેસી છું. આપણે દેશભક્ત છીએ. આપણે રાજીવ ગાંધીની શહાદતને કેવી રીતે ભૂલી શકીએ. આપણે દેશ માટે જીવ આપી શકીએ છે. હું 14 વર્ષની ઉંમરમાં કોંગ્રેસી બની ગયો હતો અને ત્યારથી કોંગ્રેસી છું.
અત્રે ઉલ્લેખનીય છે કે 1993માં થયેલા એક આતંકવાદી હુમલામાં મનિંદરજીત સિંહ બિટ્ટાને ગંભીર ઇજા પહોંચી હતી અને અન્ય 9 લોકોના મોત નિપજ્યાં હતા. મનિંદરજીત સિંહ બિટ્ટા ત્યારથી જ આ કેસના આરોપી ભુલ્લરને ફાંસીના માંચડે પહોંચાડવા માટે લડાઇ લડી રહ્યાં છે.