નવો વળાંક: પૂર્વ વાયુસેના પ્રમુખ ત્યાગીએ NDA પર ઉઠાવી આંગળી

એસ પી ત્યાગીએ કહ્યું હતું કે હેલિકોપ્ટરની ઉંચાઇ માટે નક્કી કરવામાં આવેલા પેરામીટર વર્ષ 2003માં બદલવામાં આવ્યાં હતા.અ જે તે સમયના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રિજેશ મિશ્રએ નક્કી કર્યા હતા. આટલું નહી એસ પી ત્યાગીએ એ પણ દાવો કર્યો છે કે કોન્ટ્રાક્ટના નિયમો બદલવાનો નિર્ણય તત્કાલિન પીએમઓનો હતો.
એસ પી ત્યાગીના અનુસાર બ્રિજેશ મિશ્રએ જ લેખિત રીતે હેલિકોપ્ટરની ઉંચાઇ ઓછી રાખવાની સલાહ આપી હતી. ભારતીય વાયુસેનાને આનાથી કોઇ લેવાદેવા નથી. પૂર્વ એરચીફના આ નિવેદનથી ગોટાળની દિશાએ ભાજપ તરફ વળાંક લીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વીવીઆઇપી હેલિકોપ્ટર સોદામાં ગોટાળાની વાત સામે આવ્યા પછી અગસ્તા વેસ્ટલેંડ પાસેથી ત્રણ હેલિકોપ્ટરની આગામી મહિને થનારી ખરીદીને ઠંડી પાડી દિધી છે. આ સાથે જ બાકી છ હેલિકોપ્ટરોની ખરીદી પણ ઠંડી પડી ગઇ છે જેમની ખરીદી પછી કરવાની હતી. ભારતને 12 હેલિકોપ્ટરમાંથી ત્રણ હેલિકોપ્ટર પ્રાપ્ત કરી લીધા છે જેના માટે 3600 કરોડ રૂપિયાનો સોદો 2010માં થયો હતો.












Click it and Unblock the Notifications
