બિહારના અધિકાર માટે આજે દિલ્હીમાં ગરજશે નિતિશ કુમાર
નવી દિલ્હી, 17 માર્ચ: જનતા દળ યુનાઇટેડ દ્રારા દેશની રાજધાની દિલ્હીના રામલીલા મેદાનમાં આજે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા માટે અધિકારી રેલીનું આયોજન કર્યું છે. અધિકાર રેલીની પૂર્વ સંધ્યા પર બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે કહ્યું હતું કે આ રેલીને લોકસભા ચુંટણી પહેલાં તાકત પ્રદર્શિત કરવાના રૂપથી જોવી ન જોઇએ પરંતુ આ બિહારના અધિકારોને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે અને આનાથી અન્ય પછાત રાજ્યોને પણ ફાયદો પહોંચશે.
નિતિશ કુમારે સંવાદદાતાને કહ્યું હતું કે આ કોઇ તાકાત પ્રદર્શન નથી પરંતુ પોતાના અધિકારો મેળવવાનો પ્રયત્ન છે. માટે અમે આને અધિકાર રેલી નામ આપ્યું છે. અમે ઘણા લાંબા સમયથી આની માંગ કરી રહ્યાં છીએ. તેમને કહ્યું હતું કે આ અધિકારો માટે એક પછાત રાજ્યનો સંઘર્ષ છે જેના લીધે અન્ય પછાત રાજ્યોને પણ ફાયદો થશે. નિતિશ કુમારને પુછવામાં આવ્યું હતું કે શું તેમને ભાજપનો સહારો લીધો છે તો તેમને કહ્યું હતું કે દરેક જણ સાથે છે. આ એક પ્રસ્તાવ છે જેના પર બધા લોકો સહમત છે. વિધાનસભા અને વિધાન પરિષદ દ્રારા પારિત પ્રસ્તાવ પર તેને લાગૂ કરવામાં આવી રહ્યો છે.

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી લઇને જનતા દળ યુનાઇટેડે આજે રામલીલા મેદાનમાં અધિકાર રેલીનું આયોજન કર્યું છે. આ રેલીને નિતિશ કુમારની સાથે સાથે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ યાદવ પણ સંબોધશે.












Click it and Unblock the Notifications
