'અમે ઇચ્છતા હતા કે રામ સિંહને જાહેરમાં ફાંસી આપવામાં આવે'
તેમને એક ન્યુઝ ચેનલ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે રામ સિંહ જાણતો હતો કે તેને આ ગુનાના અપરાધની સજારૂપે ફાંસી થવાની છે માટે તેને આત્મહત્યા કરી લીધી છે. શક્ય છે કે તે પોતાને ગુનેગાર મહેસુસ કરી રહ્યો હતો. ટ્રાયલ તો એપ્રિલમાં પુરી થઇ જશે પરંતુ રામસિંહને જાહેરમાં ફાંસી આપવી જોઇએ કારણ કે તેને જઘન્ય અપરાધ કર્યો છે.તેમને કહ્યું હતું કે બાકી બચેલા આરોપીઓ માટે સુચના આપવામાં આવે કે તે રામ સિંહની જેમ આત્મહત્યા ન કરે અને તેમને પણ ફાંસી પર લટકાવવા જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી ગેંગરેપના મુખ્ય આરોપી રામ સિંહે સોમવારે સવારે લગભગ 5 વાગે તિહાડ જેલમાં આત્મહત્યા કરી લીધી છે. રામ સિંહ તે બસનો ડ્રાઇવર હતો જેમાં દક્ષિણ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં 16 ડિસેમ્બરના રોજ એક છોકરી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો.
રામ સિંહે આ કેસમાં પહેલાં ઝડપાયો હતો. દિલ્હી ગેંગરેપમાં કુલ છ આરોપી છે, પરંતુ એક માઇનોર ઉંમરનો છે. તેનો કેસ ઝૂવેનાઇલ કોર્ટમાં ચાલી રહ્યો છે. બાકીના પાંચ આરોપી તિહાડ જેલમાં રાખવામાં આવ્યાં છે. રામ સિંહના મોત બાદ આ ઘટનાના એક કિશોર સહિત પાંચ આરોપીઓ રહ્યાં છે. આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે છે. આજે જ (સોમવારે) રામ સિંહ સહિત બધા આરોપીઓને દિલ્હી કોર્ટમાં હાજર કરવાના હતા.