For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માંસનો ત્યાગ કરવાથી રેપના કિસ્સાઓમાં ઘટાડો થશે: અગ્નિવેશ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

swami-agnivesh
નવી દિલ્હી, 28 એપ્રિલ: સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશે શનિવારે કહ્યું હતું કે જો લોકો માંસાહર અને દારૂનું સેવન છોડી દે તો બળાત્કારના કેસમાં ઘટાડો આવશે. તેમને પત્રકારોને કહ્યું હતું કે આપણે બળાત્કાર જેવા ગુનાઓને ફક્ત પોલીસના માધ્યમથી રોકી શકીશું નહી. મારું માનવું છે કે લોકો માંસ ખાવાનું છોડી દે તો બળાત્કારની ઘટનાઓમાં મહત્વપૂર્ણ ઘટાડો આવી શકે છે. આ મુદ્દે ઘણા સંશોધન થયા છે. જો દારૂનું સેવન બંધ થઇ જાય તો બળાત્કાર જેવા કેસમાં મહત્વપૂર્ણ ઘટાડો આવશે. અગ્નિવેશે કહ્યું હતું કે મોટાભાગના ગુના અને બનાવો દારૂ પીવાથી થાય છે.

શાકાહારના મહત્વ પર બોલતાં તેમને કહ્યું હતું કે જાપાની વૈજ્ઞાનિકોએ તાજેતરમાં ધરતીના સૌથી ઘરડાં વ્યક્તિ પર એક સંશોધન કર્યું અને તેમને જાણવા મળ્યું કે તે શાકાહારી હતા.

તેમને કહ્યું હતું કે આ વિશ્વમાં થયેલ દરેક સંશોધન એ વાત તરફ ઇશારો કરે છે કે તે બકારાનું માંસ દરેક બિમારીઓનું મૂળ છે. સ્વામી અગ્નિવેશે કહ્યું હતું કે ગત 16 ડિસેમ્બરની રાત્રે દિલ્હીમાં ચાલુ બસે એક છોકરી સાથે આચરવામાં આવેલ સામૂહિક બળાત્કારના બધા આરોપીઓએ દારૂનું સેવન કરેલું હતું અને તાજેતરમાં જ પાંચ વર્ષની બાળકી સાથે ગુજારવામાં આવેલ બળાત્કારના આરોપીએ પણ દારૂ પીધેલો હતો.

તેમને કહ્યું હતું કે બંને કેસોમાં આરોપીઓએ દારૂ પીધો હતો. તેનાથી સ્પષ્ટ થાય છે કે દારૂના કારણે ગુનો કર્યો છે. દારૂ વ્યક્તિની નૈતિક વિચારસણીને ખતમ કરી દે છે.

English summary
Rape cases will come down if people shun non-vegetarian food and alcohol, activist Swami Agnivesh said on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X