રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યૂલન્સની લાગી લાંબી લાઈન
રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યૂલન્સની લાગી લાંબી લાઈન
અમદાવાદ બાદ સુરત, વડોદરા અને રાજકોચટમાં કોરોના મહામારીનો પ્રકોપ સૌથી વધુ છે. ગુજરાતના મોટાભાગના દર્દીઓ આ શહેરમાંથી જ સામે આવી રહ્યા છે. અહીં અમદાવાદ ખાતે આવેલ એશિયાનું સૌથી મોટું હોસ્પિટલ હાઉસફુલ થઈ ગયું છે અને ત્યાં એમ્બ્યૂલન્સને ઉભી રાખવાની પણ જગ્યા નથી બચી. એવામાં હોસ્પિટલની બહાર જ એમ્બ્યૂલન્સની લાંબી લાઈનો લાગી રહી છે. આવી જ હાલત રાજકોટના સિવિલ હોસ્પિટલની પણ છે. અહીં પણ કોરોના સંક્રમિત દર્દીઓને લઈ જતી એમ્બ્યૂલન્સની હોસ્પિટલની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે.
સક્રિય કોરોના દર્દીઓની વાત કરીએ તો આ આંકડો અમદાવાદમાં 18,092 થઈ ગયો છે. બીજા નંબર પર સુરત છે જ્યાં 11367 સક્રિય કેસ છે. આ ઉપરાંત રાજકોટમાં 4600 સક્રિય અને વડોદરામાં 4677 સક્રિય મામલા છે. આખા ગુજરાતના આંકડા પર નજર નાખીએ તો હાલ 55398 લોકો કોરોનાથી પીડાઈ રહ્યા છે.
આ જિલ્લામાં સૌથી વધુ મામલા નોંધાયા
- અમદાવાદ- 98513
- સુરત- 85446
- વડોદરા- 41652
- રાજકોટ- 34962
- જામગનર- 14985
- ગાંધીનગર- 11137
- મહેસાણા- 9684
- ભાવનગર- 8757
- જૂનાગઢ- 6954
- પાટણ- 6169
- બનાસકાંઠા- 5929
- કચ્છ- 5845
કોરોનાથી કયા જિલ્લામાં સૌથી વધુ મોત
- અમદાવાદ- 2593
- સુરત- 1269
- વડોદરા- 317
- રાજકોટ- 289
- ગાંધીનગર- 119
- ભાવનગર- 79
- પાટણ- 53
આ પણ વાંચો
- કોરોના સામેની લડાઈમાં મહત્વનું પગલું, દેશભરમાં 162 ઑક્સીઝન પ્લાન્ટ લાગશે
- કોરોના સંક્રમિત થયા રાજા ભૈયા, ખુદને હોમ ક્વોરેન્ટાઈન કર્યા
- કોરોના કાળમાં હવે હરિદ્વાર કુંભ મેળાને પ્રતિકાત્મક જ રાખવામાં આવેઃ પીએમ મોદી
- કોરોના મહામારીની ભયાનક સ્થિતિને જોતા પ્રિંયકા ગાંધીએ જનતાને કરી અપીલ, કહ્યુ - આ જંગ જીતવાની જ છે
- રાહુલ ગાંધીનો પ્રશંસનીય નિર્ણય, બંગાળની પોતાની બધી રેલી રદ્દ કરી