અજગર ગળી ગયો વાંદરાનુ બચ્ચુ, વન વિભાગની ટીમે કર્યો બચાવ
વડોદરામાં અજગર સાથે બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જાણો કેવી રીતે થયો અજગરનો બચાવ.
વડોદરામાં અજગર સાથે બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અજગર એક વાંદરાના બચ્ચનાને આખો આખો ગળી ગયો પરંતુ ના તો એ તેને પૂરુ ગળી શક્યો કે ના એને બહાર કાઢી શકતો હતો. વાંદરાનુ બચ્ચુ અજગરના પેટમાં અટકી ગયુ હતુ. વન વિભાગની ટીમ દ્વારા અજગરનુ રેસ્ક્યુ કરીને વાંદરાને અજગરના પેટમાંથી બહાર કાઢવામાં આવ્યુ હતુ. મળતી માહિતી મુજબ વડોદરામાં વાસણા કોતરિયા ગામની સીમમાં અજગર સાથે એક વિચિત્ર ઘટના બની હતી. તે બે દિવસ પહેલા એક વાંદરાનુ બચ્ચુ ગળી ગયો હતો ત્યારે આ બચ્ચુ તે ના તો પચાવી શકતો હતો અને ના બહાર કાઢી શકતો હતો, તે વચમાં જ અટકી ગયુ હતુ.

વન વિભાગને માહિતી મળતા આ અજગરને વડોદરાના વન વિભાગની નર્સરીમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ટીમ દ્વારા મહામહેનતે અજગરના પેટમાંથી વાંદરાનુ બચ્ચુ બહાર કાઢવામાં આવ્યુ હતુ. આ રીતે વન વિભાગની ટીમ દ્વારા અજગરનો જીવ બચાવવામાં આવ્યો હતો. વન વિભાગની ટીમના જણાવ્યા મુજબ અજગરે વાંદરાના બચ્ચાનો શિકાર બે દિવસ પહેલા કર્યો હોય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. વન વિભાગના કર્મચારીએ જણાવ્યા મુજબ અજગરના પેટમાં વાંદરાનુ બચ્ચુ ફસાઈ ગયુ હતુ માટે કર્મચારીઓએ અજગરના પેટમાં વચ્ચેના ભાગમાં થપથપાવતા અજગરે વાંદરાને ધીમે ધીમે મોઢા બાજુ ધકેલવાનુ શરૂ કર્યુ હતુ અને થોડીક જ સેકન્ડમાં વાંદરાનુ આખુ બચ્ચુ ઓકી દીધુ હતુ. વાંદરાનુ બચ્ચુ 2 મહિના આસપાસની હોવાનુ અનુમાન છે.
વન વિભાગના વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ અજગર તેની આસપાસના તાપમાનના ફેરફારને કળીને શિકારને પકડે છે. જો શિકાર નજીક આવે અને તેના તાપમાનમાં ફેરફાર હોય તો અજગર સીધો તેના પર હુમલો કરે છે અને પછી માથાના ભાગેથી ગળી જાય છે. ખોરાક પચાવતા તેને ચોમાસામાં 15 દિવસ જેટલો સમય લાગે છે. ચોમાસામાં પાચનક્રિયા ધીમી થઈ જતી હોય છે. સામાન્ય રીતે ચોમાસામાં ખોરાક જલ્દી ન પચવાના કારણે અજગર મૃત્યુ પામતા હોય છે. ગયા વર્ષે જૂન મહિનામાં આબુ નજીક હેટમજી ગામે અજગરે બે વાંદરા ગળી જતા તેનુ મોત નીપજ્યુ હતુ.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
