કેમરૂને કહ્યું, ઇસ્લામી આતંકવાદને જડમૂળથી ખતમ કરીશું

બ્રિટિશ દૈનિક ગાર્ડિયનના અહેવાલ અનુસાર આતંકવાદને નાથવા માટે તૈયાર કરવામાં આવેલ કેબિનેટ સ્તરની ટાસ્ક ફોર્સની બેઠકમાં કેમરૂને આ વાત કરી. તેમણે જણાવ્યું કે જે સડેલા કિચડમાં આતંકવાદ ઉછેરાઇ રહ્યો છે, તેને આપણે સાફ કરવું પડશે. જેથી આ સમસ્યા જડમાંથી સમાપ્ત થઇ જાય.
તેમણે જણાવ્યું કે ટાસ્ક ફોર્સનું લક્ષ્ય દેશના મદરેસામાં કટ્ટરપંથને ઉછેરવાથી રોકવાનો થશે. મદરેસાથી કટ્ટરપંથી ઇમામોને બહાર કરી તેમાં આવા લોકોને આવા લોકોની નિમણૂક કરવાનો પ્રયાસ કરવામાં આવશે જે બ્રિટેનને સમજતા હોય.
આ ઉપરાંત દાન અને ચેરિટી પર પણ નિયંત્રણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે જેથી કટ્ટરપંથીઓને મળનાર આર્થિક મદદ બંધ થઇ શકે. ઇન્ટરનેટ સેવા આપનાર કંપનીયો પર પણ હિંસા ફેલાવતા સંદેશાઓ હટાવવા માટેના નિયમો બનાવી શકાશે.












Click it and Unblock the Notifications
