ચેતજો : ચીન કરી રહ્યું છે ઝેરી ચોખાની ખેતી!
હુનાન, 4 જૂન : દક્ષિણ મધ્ય ચીનમાં આવેલા હુનાન પ્રાંતમાં પાકતા ચોખામાં ભારે માત્રામાં ધાતુઓ મળી આવી છે. આ કારણે આ ચોખા ઝેરી હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. આ ચોખામાં કેડ્મિઅમ, આર્સેનિક, ઝિંક, તાંબુ અને અન્ય પ્રકારની કર્કરોગ પેદા કરનારી ભારે ધાતુ મળી આવી છે. છેલ્લા છ મહિનાથી ચાઇનીઝ મીડિયા આ મુદ્દે રિપોર્ટીંગ કરી રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને ચીનના ગુઆનડોંગ પ્રાંતના ગુઆનઝોંમાંથી તપાસ માટે લેવાયેલા સેમ્પલોમાં આ ખુલાસો થયો છે. જેમાં જાણવા મળ્યું કે આ ચોખા પાડોશી હુનાન પ્રાંતની ત્રણ ચોખાની મિલમાંથી આવ્યા હતા. હુનાન પ્રાંત વાર્ષિક 25 મિલિયન ટન ચોખાનું ઉત્પાદન કરે છે. જે ચીનના વાર્ષિક ચોખાના ઉત્પાદનના 12 ટકા છે.

હુનાનના ચોખામાંથી ઝેરી તત્વો મળી આવ્યા બાદ લોકોમાં આ પ્રાંતના ચોખાને લઇને ભય પેસી ગયો છે. સંશોધકોના જણાવ્યા મુજબ સેમ્પલોમાં 65 ટકા ચોખામાં ભારે માત્રામાં કેડ્મિઅમ મળી આવ્યું હતું. અન્ય સંશોધકોએ તેના તારણોમાં આ રેન્જ 20થી 40 ટકા હોવાનું કહ્યુ છે. હુનાન પ્રાંતના અધિકારીઓ આ મુદ્દે મૌન સેવી રહ્યા છે. જે લોકોના ભયમાં વધારો કરી રહ્યુ છે.
સ્થાનિક લોકોમાં ઝેરી ચોખા અંગેના સમાચાર પેલતા મોટા પાયે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકારી ચોપડે નોંધાયેલા આંકડાઓ અનુસાર ચીનમાં આવેલી 89,000 એકર ખેતીલાયક જમીનમાં ભારે અને ઝેરી ગણાતી ધાતુઓનું પ્રમાણ જરૂર કરતા વધારે માત્રામાં છે. જેના કારણે દર વર્ષે અંદાજે 12 લાખ ટન અનાજને જેરની અસર પહોંચે છે. જેના કારણે દર વર્ષે 3.2 અબજ ડોલરનું આર્થિક નુકસાન થાય છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
