વ્હાર્ટનમાં મોદીને વક્તા તરીકે આમંત્રિત કરાતા વિવાદ

વ્હાર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમની બેઠક 23 માર્ચે થનારી છે. ફોરમના આયોજકોએ નરેન્દ્ર મોદીનો સંપર્ક કર્યો હતો અને તે વીડિયોકોન્ફ્રેસિંગ થકી ભાષણ આપવા માટે રાજી થઇ ગયા હતા, પરંતુ સૂત્રોએ હવે જણાવ્યું છે કે પ્રબંધનને નરેન્દ્ર મોદીનું નામ વક્તાઓની યાદીમાં સામેલ કરવા પર આપત્તિ વ્યક્ત કરી છે અને હવે તેમનું નામ હટાવવા માટે કહીં શકે છે. હાલ ફોરમની વેબસાઇટ પર નરેન્દ્ર મોદીનુ નામ વક્તાઓની યાદીમાં સામેલ છે.
આયોજકોની યાદીમાં એક છાત્રએ જણાવ્યા પ્રમાણે, તેમણે મોદીને એટલા માટે આમંત્રિત કર્યા, કારણ કે ગુજરાતના વિકાસથી તે ઘણા પ્રભાવિત છે. વ્હાર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમ પેન્સિલ્વેનિયા વિશ્વવિદ્યાલયના વ્હાર્ટન સ્કૂલના છાત્રો દ્વારા આયોજિત ભારત કેન્દ્રિત સંમેલન છે.
યોજના આયોગના ઉપાધ્યક્ષ મોંટેક સિંહ અહલૂવાલિયા પણ 23 માર્ચે થનારી આ બેઠકને સંબોધિત કરશે. 16 વર્ષ પહેલા થયેલી સ્થાપના બાદથી આ અત્યારસુધીની સૌથી જાણીતું ભારતીય કેન્દ્રિત કારોબાર સમ્મેલન બનીને ઉભર્યું છે, જે ભારતમાં સ્થિત તકો અને પડકારો પર ચર્ચા કરવાની તક આપે છે.












Click it and Unblock the Notifications
