Coronavirus: ખતરનાક થયો ચીનનો વાયરસ, ભારતે હેલ્પલાઈન નંબર અને એડવાઈઝરી જાહેર કરી
Coronavirus: ખતરનાક થયો ચીનનો વાયરસ, ભારતે હેલ્પલાઈન નંબર અને એડવાઈઝરી જાહેર કરી
બેઈજિંગઃ ચીનનો જીવલેણ કોરોના વાયરસ હવે ચીનથી નિકળીને બાકીને દેશોમાં દસ્તક આપી રહ્યો છે. આ વાયરસ ખતરનાક સ્તરે પહોંચી ચૂક્યા બાદ બેઈજિંગમાં ભારતીય દૂતાવાસ તરફથી ભારત આવતા પર્યટકોને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત દૂતાવાસ તરફથી હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જે તાજા જાણકારી ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓ તરફથી આપવામા આવી છે તે મુજબ અત્યાર સુધી આ ખતરનાક વાયરસની લપેટમાં આવી 25 લોકોના મોત થયાં છે. જ્યારે 835 લોકોમાં તેનું ઈન્ફેક્શન જોવા મળ્યું છે. ચીનના પડોસી હોંગકોંગમાં પણ પાંચ લોકોમાં આ વાયરસના લક્ષણ જોવા મળ્યા છે.

આ નંબર પર સંપર્ક કરી શકો
કોરોના વાયરસને લઈ ભારત સરકાર પણ અલર્ટ પર છે. ભારતીય દૂતાવાસે ગુરુવારે હેલ્પલાઈન નંબર +86 1861203629 અને +861861203617 જાહેર કર્યો છે. ડિસેમ્બર 2019માં પહેલીવાર આ વાયરસને કારણે બીમારીનો પહેલો કેસ નોંધાયો હતો. હુબેઈ પ્રાંતના વુહાનમાં સૌથી પહેલા આ વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. વુહાન, સેન્ટ્રલ ચીનનું ગાઢ આબાદી વાળું શહેર છે અને અહીં ભારતીય વિદ્યાર્થીઓની તાદાત પણ તગડી છે. આ શહેરમાં 700 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરે છે. શહેર બંધ થવાના કારણે ભારતીય સ્ટૂડેન્ટ્સે બારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વાયરસ હવે ચીનની સીમાથી નિકળી અમેરિકા, સાઉથ કોરિયા, થાઈલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી ચૂક્યો છે. ભારત સરકારનું કહેવું છે કે બધા સ્ટૂડેન્ટ્સને સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ચીની અધિકારીઓ સાથે વાત કરવામાં આવી રહ્યા છે.
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા







Click it and Unblock the Notifications
