આ મિત્રતા સ્વર્ગમાં બની છે કહ્યું નેતન્યાહૂએ, બન્ને દેશોએ કર્યા અનેક કરાર
ભારત અને ઇઝરાયેલની વચ્ચે બુધવારે મહત્વના 7 કરાર થયા. ઇઝરાયેલના ભારતની આ મિત્રતાને સ્વર્ગમાં બનેલા સંબંધ ગણાવી. જાણો મોદીના ઇઝરાયેલ પ્રવાસ વિષે વધુ અહીં.
ભારત અને ઇઝરાયેલની વચ્ચે બુધવારે મહત્વના 7 કરાર થયા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના પીએમ બેન્ઝામિન નેતન્યાહૂ તે પછી એક સંયુક્ત પ્રેસકોન્ફર્ન્સ પણ કરી. જેમાં નેતન્યાહૂએ કહ્યું કે ભારત અને ઇઝરાયેલ મળીને ઇતિહાસ બનાવી રહ્યા છીએ. ભારત અને ઇઝરાયેલ સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.નેતન્યાહૂ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધો અંગે બોલતા કહ્યું કે આ મિત્રતા સ્વર્ગમાં બની છે. તો બીજી તરફ પીએમ મોદીએ ઇઝરાયેલના તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે આભાર વ્યક્ત કર્યો. સાથે જ મોદીએ ભારત અને ઇઝરાયેલની મિત્રતાને કહ્યું આઇ ફોર આઇ એટલે કે ઇન્ડિયા ફોર ઇઝરાયેલ અને ઇઝરાયેલ ફોર ઇન્ડિયા.

સાથે પીએમ મોદી આજે રાષ્ટ્રપતિ રિવલિનને પણ મળ્યા હતા. ત્યાંના રાષ્ટ્રપતિએ આ મુલાકાતને યાદગાર યાત્રા ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે આજે સાંજે 7:30 વાગે પીએમ મોદી ડેવિડ હોટલમાં ભારતીય સમુદાયના લોકોને મળશે. અને ગુજરાત રાજ્યના હીરાના વેપારીઓને પણ મળશે. સાથે જ વડાપ્રધાન મોદી 26/11 મુંબઇ આંતકી હુમલાના જીવત સાક્ષી બેબી મોશેની સાથે પણ મુલાકાત કરશે. જેને તેમની ભારતીય આયા સાન્ડ્રા સેમ્યુઅલે બચાવ્યો હતો. આ પછી તે પવેલિયન 2માં ભારતીય સમુદાયને સંબોધિત કરશે.
-
ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ? -
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?










Click it and Unblock the Notifications
