ઈરાને પાકિસ્તાનને સર્જીકલ સ્ટ્રાઇક કરવાની ધમકી આપી
પાકિસ્તાનના પાડોશી દેશ ઈરાને સર્જીકલ સ્ટ્રાઇક કરવાની ધમકી આપી છે. મંગળવારે પાકિસ્તાની સુન્ની આતંકવાદીઓએ ઇરાનના જવાનોનું અપહરણ કરી લીધું.
પાકિસ્તાનના પાડોશી દેશ ઈરાને સર્જીકલ સ્ટ્રાઇક કરવાની ધમકી આપી છે. મંગળવારે પાકિસ્તાની સુન્ની આતંકવાદીઓએ ઇરાનના જવાનોનું અપહરણ કરી લીધું. ત્યારપછી તેહરાને પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરવાની ધમકી આપી છે. વર્ષ 2016 દરમિયાન ભારતીય આર્મીએ ઉરી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) પર સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી.

ઈરાને પાકિસ્તાનને આ ધમકી એવા સમયે આપી છે, જયારે સિસ્તાન-બલુચિસ્તાન સીમા પર સુન્ની આતંકવાદી ગ્રુપ જેશ અલ-અદે ઘ્વારા ઇરાનના જવાનોનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. ઈરાન ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ઇસ્લામાબાદ કોઈ એક્શન નહીં લે તો તેમની સીમમાં ઘૂસીને એક્શન લઈશુ. ઈરાને પાકિસ્તાનને આતંકીઓ માટે સૌથી વધારે સુરક્ષિત જગ્યા ગણાવી છે.
આ પણ વાંચો: અમેરિકાથી નહીં ગભરાય ભારત, ઈરાનથી ઓઇલ ખરીદવાનું ચાલુ રહેશે
IRNA ન્યુઝ એજેન્સી ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 14 લોકોનું સવારે લગભગ 4 થી 5 વાગ્યાની વચ્ચે અપહરણ કરી લેવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર સુન્ની આતંકી ગ્રુપ જેશ અલ-અદે પ્રવક્તા ઇબ્રાહિમ અજીજી ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમની પાસે ઓછામાં ઓછા 10 ઈરાની સૈનિકો બંધક છે.
આ પણ વાંચો: અમેરિકાની દાદાગિરી, ભારતને ઈરાન પાસેથી તેલ નહિ ખરીદવા કહ્યુ
પાકિસ્તાનનો સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંત લાંબા સમયથી નશીલી દવાઓની તસ્કરી ગિરોહ અને અલગાવવાદી આતંકીઓને કારણે અશાંતિથી પીડિત છે, જેથી ઈરાન સૌથી વધારે પ્રભાવિત છે. સપ્ટેમ્બરમાં સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં ઈરાને ચાર આતંકીઓને ઠાર માર્યા હતા. જેમાંથી ઘણા આતંકીઓ પાકિસ્તાન તરફ ભાગવામાં સફળ થયા હતા. ગયા મહિને ઈરાને ચેતવણી આપતા કહ્યું હતું કે જો ઇસ્લામાબાદ આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં અસફળ રહે છે તો તેઓ જાતે તેમની સામે લડશે.
-
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?








Click it and Unblock the Notifications
