For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુલભૂષણ જાધવ મામલાની આજે ICJમા સુનાવણી થશે

કુલભૂષણ જાધવ મામલાની આજે ICJમા સુનાવણી થશે

|
Google Oneindia Gujarati News

હેગઃ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ મામલાની આજે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં સુનાવણી થશે. આ મામલામાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર કોર્ટની અંદર પોતાનો પક્ષ રાખશે. જણાવી દઈએ કે બીજા વિશ્વ યુદ્ધ બાદ આંતરરાષ્ટ્રીય વિવાદોનો હલ કરવા માટે આઈસીજેની સ્થાપના કરવામાં આવી હતી. કુલભૂષણ જાધવ પાછલા લાંબા સમયથી પાકિસ્તાનની જેલમાં બંધ છે, તેમના પર પાકિસ્તાને ભારતના જાસૂસ હોવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે ભારત સતત તેમના પર આરોપોથી ઈનકાર કરતું આવી રહ્યું છે.

kulbhushan jadhav

વર્ષ 2017માં પાકિસ્તાનની અદાલતે જાધવને ફાંસીની સજા સંભળાવી હતી, જે બાદ ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટનો રુખ કર્યો હતો. આઈસીજેની 10 સભ્યોવાળી પીઠે 18 માર્ચ 2017ના રોજ આ મામલાની સુનાવણી કરતા જાધવની સજાને રોકવાનો ફેસલો કર્યો હતો. સાથે જ કોર્ટે આ મામલાની સુનાવણી માટે 18-21 ફેબ્રુઆરી સુધીનો સમય નક્કી કર્યો હતો. આ મામલામાં ભારતની પેરવી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે કરી રહ્યા છે, માનવામાં આવી રહ્યું છે કે આજે પણ તેઓ જ કોર્ટમાં ભારતનો પક્ષ રાખશે.

જાણકારી મુજબ પાકિસ્તાનના વકીલ ખાવર કુરૈશી 19 ફેબ્રુઆરીએ પોતાના દેશ તરફથી આ મામલામાં પોતાનો પક્ષ રાખશે. જે બાદ ફરી એકવાર 20 ફેબ્રુઆરીએ ભારત આ મામલે પોતાનો જવાબ આપશે. 21 ફેબ્રુઆરીએ પાકિસ્તાન આ મામલામાં પોતાની અંતિમ દલીલ રજૂ કરશે, માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે આ મામલામાં કોર્ટ પોતાનો ફેસલો સંભળાવી શકે છે. પાકિસ્તાનના વકીલ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે અમે પુષ્તા સબુત સાથે તૈયાર છીએ જેનાથી સબિત થઈ જશે કે કેદાર જાધવ પાસે જે પાસપોર્ટ મળ્યો હતો તેમાં મુસ્લિમ નામ લખ્યું હતું.

આ પણ વાંચો- પુલવામાઃ આતંકીઓ સામેના એન્કાઉન્ટરમાં સેનાના મેજર અને ત્રણ જવાન શહીદ

English summary
Kulbhushan Jadhav case to be heard in International court of justice.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X