ભારત પરત ફરવા ઇચ્છૂક હતા મરીન્સઃ ઇટલી
બન્ને ભારતીય માછીમારોની હત્યાના આરોપી મરીન્સ મસ્સીમિલાનો લાતોરે અને સલ્વાતોરે ગિરોને, ને મામલાનો સામનો કરવા માટે 22 માર્ચે ભારત મોકલવામાં આવ્યા હતા. ચૂંટણીમાં મતદાન કરવા માટે આવેલા મરીન્સને રોમે ભારત પરત મોકલવાનો ઇન્કાર કરી દીધો હતો, પરંતુ કૂટનીતિક ચર્ચા બાદ ઇટલીએ તેમને પરત મોકલી દીધા.
ભારતે રોમ દ્વારા મરીન્સને પરત નહીં મોકલવાના નિર્ણયને લઇને તેમના રાજદૂતને દેશ છોડવા પર રોક લગાવી દીધી હતી. આ ક્રમમાં ઇટલીના વિદેશમંત્રી જૂલિયો ટૈરજીએ એમ કહેતા રાજીનામું આપી દીધુ કે મરીનને પરત મોકલવાની તેમની વાત પર ધ્યાન આપવામાં આવ્યું નથી.
ઇટલીની સંવાદ સમિતિ એએનએસએના સમાચાર અનુસાર, રક્ષામંત્રી ઇતાલવી વાયુસેનાની 90મી જયંતિ પર નેપલ્સમાં આયોજિત એક સમારોહમાં બોલી રહ્યાં હતા. સમારોહ દરમિયાન બોલતા તેમનું ગળુ ભરાઇ આવ્યું અને આંખોમાં આસું આવી ગયા.
તેમણે મીડિયામાં આવેલા સમાચારોને ખારીજ કરતા મરીન્સ કેસનો સામનો કરવા માટે ભારત પરત જવા નહોતા ઇચ્છતા.