પાકિસ્તાન સરકાર મુશર્રફ સામે કેસ ચલાવશે

ધ ન્યુઝ સમાચાર પત્રના જણાવ્યા અનુસાર સરકાર મુશર્રફને રાજદ્રોહના આરોપમાં સુનવણીથી બચાવવાને બદલે સંવિધાન અને કાયદાની વ્યવસ્થાની સર્વેચ્ચતા જાળવી રાખવા માટે આ પ્રકારના પગલાંઓને સમર્થન આપશે.
આ અંગે એક મંત્રીએ જણાવ્યું કે પીએમએલ-એનના પ્રમુખ નવાઝ શરીફે વડાપ્રધાન બનતા પહેલા જ સંકેત આપ્યા હતા કે તેઓ મુશર્રફની વિરુદ્ધ રાજદ્રોહનો કેસ ચલાવવા માટે સમર્થન આપશે. કોર્ટમાં કેસ ચાલ્યા બાદ કોર્ટના આદેશનો યોગ્ય અમલ થાય તે માટે પાકિસ્તાન સરકાર વ્યવસ્થા કરશે.
આ કાયદા અંતર્ગત ગૃહ સચિવે સંવિધાનની કલમ 6 અને રાજદ્રોહ દંડ કાયદો 1973 અતર્ગત આપેલી જોગાવાઇ અનુસાર સંવિધાનને ભંગ કરવા અથવા રદ કરવા બદલ મુશર્રફ સામે એક ફરિયાદ નોંધાવવી પડશે.












Click it and Unblock the Notifications
