ઓસ્ટ્રેલિયામાં શીખ ગુરુદ્વારામાં તોડફોડ
પર્થ, 30 ઓક્ટોબર: ઇસ્લામ વિરોધી કાર્યવાહી હેઠળ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં એક નવનિર્મિત શીખ ગુરુદ્વારામાં તોડફોડ કરવામાં આવી અને તેની પર અશ્લિલ સંદેશ પર લખવામાં આવ્યો. એબીસી સમાચાર અનુસાર, બેનેટ સ્પ્રિંગના આ ગુરુદ્વારામાં 'ઓસ્ટ્રેલિયાઇ ગૌરવ' અને 'ઘર જાઓ' જેવા શબ્દો લખવામાં આવ્યા. ગુરુદ્વારાના સુરક્ષા કેમેરાને પણ તોડી નાખવામાં આવ્યો હતો.
ગ્રંથી સતજીત સિંહે જણાવ્યું 'અમે લોકો ભારતથી છીએ, ખાસ કરીને પંજાબથી, અમારો બીજા કોઇ ધર્મ સાથે કોઇ સંબંધ નથી. અમે લોકો શીખ છીએ અને અમારો ધર્મ સંપૂર્ણ રીતે અન્ય ધર્મ કરતા સંપૂર્ણ અલગ છે.' તેમણે જણાવ્યું કે તોડફોડ અત્રે થયેલી તોડફોડ ખૂબ જ હેરાન કરનાર છે અને નુકસાનને ફરીથી રિપેર કરાવવામાં 50,000 અમેરિકન ડોલર જેટલો ખર્ચ આવશે. તેમણે જણાવ્યું કે આ તોડફોડ અત્રેના નાગરિકોએ કરી છે.

અમનદીપ સિંહે જણાવ્યું કે 'અરબ અને શીખોની વચ્ચેના અંતરને સમજો. તેમણે ખૂબ જ નુકસાન કરી દીધું છે. તેમણે માત્ર ગુરુદ્વારાને નહીં પરંતુ આખા દેશને નુકસાન પહોંચાડ્યું છે.' તેમણે જણાવ્યું કે આ પ્રકારના 'શરમજનક કૃત્યો'થી દેશની પ્રગતિમાં અડચણ આવે છે.
લેબર સાંસદ માર્ગરેટ ક્વર્કે જણાવ્યું કે નસ્લી ભાવના અત્યંત નિંદરનીય છે. તેમણે જણાવ્યું કે વાસ્તવિકતા એ છે કે ગુરુદ્વારામાં માથું ટેકવા આવનાર મોટાભાગના ઓસ્ટ્રેલિયાઇ નાગરિક છે અને તોડફોડનું કૃત્ય ખૂબ જ દુ:ખદ છે.
સાંસદે જણાવ્યું કે તે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાઇ સમુદાય તરફથી શીખ સમુદાય પાસે નિશ્ચિતપણે માફી માગે છે. ગુરુદ્વારા પર હુમલાની આ ઘટના પર્થમાં બે મસ્જીદો અેન એક ઇસ્લામિક શાળામાં થયેલી તોડફોડની ઘટના તથા 'ઇસ્લામને પ્રતિબંધિત કરો' જેવા સૂત્રો લખવાના થોડા દિવસો બાદ બની છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ









Click it and Unblock the Notifications
