For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OIC: સુષ્મા સ્વરાજે ઈસ્લામિક દેશો સામે પાકને ઘેર્યુ, ચિડાયેલા પાકે કર્યો બૉયકૉટ

વિદેશ મંત્રી ઑર્ગેનાઈઝેશન ઑફ ઈસ્લામિક કન્ટ્રીઝ એટલે કે ઓઆઈસીને સંબોધિત કર્યા છે.

|
Google Oneindia Gujarati News

વિદેશ મંત્રી ઑર્ગેનાઈઝેશન ઑફ ઈસ્લામિક કન્ટ્રીઝ એટલે કે ઓઆઈસીને સંબોધિત કર્યા છે. આ પહેલો મોકો છે જ્યારે ભારતને આ કાર્યક્રમ માટે ગેસ્ટ ઑફ ઑનર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા. સુષ્માએ અહીં આતંકવાદ પર પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો તેમજ તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધુ કે ભારતની લડાઈ કોઈ દેશ સાથે નથી. સુષ્માએ મુસલમાન દેશોને જણાવ્યુ કે ભારતની લડાઈ માત્ર અને માત્ર આતંકવાદ સામે છે.

ભારતની લડાઈ આતંકવાદ સામે

ભારતની લડાઈ આતંકવાદ સામે

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યુ કે ઓઆઈસી દેશો સાથે ભારતના સારા સંબંધો છે. તેમણે કહ્યુ, ‘ભારતની લડાઈ આતંક સામે છે, કોઈ ધર્મ સામે નહિ. ઈસ્લામ શાંતિ શીખવે છે.' સુષ્મા સ્વરાજ આ બેઠકમાં વિશેષ અતિથિ તરીકે શામેલ થયા છે. આવુ પહેલી વાર છે જ્યારે ભારતને ઓઆઈસીની બેઠકમાં ‘વિશેષ અતિથિ' તરીકે આમંત્રિત કરવામાં આવ્યુ છે. સુષ્માએ અહીં ઋગ્વેદનો ઉલ્લેખ કર્યો. સુષ્માએ કહ્યુ, ‘ભારતે હંમેશાથી ઋગ્વેદના એક 'एकं सद्विप्रा बहुधा वदन्ति' પર વિશ્વાસ કરતુ આવ્યુ છે જેનો અર્થ છે, ‘ઈશ્વર એક છે. પરંતુ વિદ્વાનોએ તેમને અલગ અલગ રીતે વર્ણવ્યા છે.'

ધર્મના નામ પર આતંકવાદ ફેલાવી રહ્યા છે અમુક દેશ

ધર્મના નામ પર આતંકવાદ ફેલાવી રહ્યા છે અમુક દેશ

સુષ્માએ અહીં જણાવ્યુ કે જે રીતે ઈસ્લામનો અર્થ શાંતિ થાય છે અને અલ્લાહના 99 નામોમાંથી કોઈને પણ હિંસા સાથે લેવાદેવા નથી. તે જ રીતે દુનિયાનો દરેક ધર્મ શાંતિ, પ્રેમ અને ભાઈચારીની વાત કરે છે. વિદેશ મંત્રી સુષ્માએ આતંકવાદનો ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે આજે અમુક લોકો ધર્મના નામ પર આતંકવાદ ફેલાવી રહ્યા છે. વિદેશ મંત્રીએ ઓઆઈસીના દેશોને અપીલ કરી કે જે દેશ ધર્મના નામ પર આતંકવાદ ફેલાવી રહ્યા છે તેમની સામે સંગઠનનો કાર્યવાહી કરવી પડસે. સંગઠનને તેમણે એ જણાવવાનું રહેશે કે આ દેશોએ પોતાના ત્યાં આતંકવાદના ઢાંચાને નષ્ટ કરવા પડશે.

પાકિસ્તાનની ખુરશી રહી ખાલી

પાકિસ્તાનની ખુરશી રહી ખાલી

વળી, જ્યાં સુષ્મા સ્વરાજ આ કાર્યક્રમમાં હાજર હતા ત્યાં પાકિસ્તાને આનો બૉયકૉ કર્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી ઓઆઈસીની સખત નારાજ છે. તેમણે ઓઆઈસીને અનુરોધ કર્યો હતો કે ભારતને અહીં ન બોલાવવામાં આવે પરંતુ ઓઆઈસીએ તેમની વાત સાંભળી નહિ અને ભારતને ગેસ્ટ ઑફ ઑનર તરીકે આમંત્રિત કર્યા. પાકિસ્તાનના વિદેશ મંત્રીની સીટ ખાલી હતી અને આ ખાલી સીટ પર સૌનું ધ્યાન ગયુ હતુ.

આ પણ વાંચોઃ એન્જિનિયરીંગનો ઘટવા લાગ્યો છે ક્રેઝ, મેડિકલ પસંદ કરી રહ્યા છે અહીંના વિદ્યાર્થીઆ પણ વાંચોઃ એન્જિનિયરીંગનો ઘટવા લાગ્યો છે ક્રેઝ, મેડિકલ પસંદ કરી રહ્યા છે અહીંના વિદ્યાર્થી

English summary
External Affairs Minister Sushma Swaraj at organization of Islamic countries OIC in Abu Dhabi, UAE.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X