વૈજ્ઞાનિકોએ ખોલ્યું ઘુવડનું માથુ ફેરવવાનું રહસ્ય
સાયન્સ પત્રિકાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વરિષ્ઠ અનુસંઘાનકર્તા અને ઇન્ટરનેશનલ ન્યૂરોલોજિસ્ટ, ફિલિપ્પે ગૈલોડે કહ્યું છે કે અત્યારસુધી મારા જેવા મસ્તિષ્ક ઇમેજિંગ વિશેષજ્ઞ, જે માનસિક આઘાતના કારણે માથુ અને ગરદનની રક્ત વાહિકામાં થનારી ક્ષતિથી બચતા રહ્યાં છે, તે આ વાતને વિચારીને હંમેશા પરેશાન થઇ જતો હતો કે ઝડપથી માથુ ફેરવનારું આ ઘુવડની મોત કેમ નથી થઇ જતી.
જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનમાં રેડિયોલોજીમાં એસોસિએટ પ્રોફેસર, ગૈલોડે કહ્યું કે, ઘુવડ અને મનુષ્યો સહિત અધિકાંશ જાનવરોની ગરદનમાં માન્યા ધમની અને કશેરુકા ધમનિયા ઘણી જ નબળી હોય છે અને વાહિકા પર મામૂલી ઇજા પ્રત્યે પણ ઘણા જ સંવેદનશીલ હોય છે.
બધાને ચોકાવનારું સંશોધન ત્યારે સામે આવ્યુ, જ્યારે અનુસંધાનકર્તાઓએ ઘુવડની નસોમાં રંગીન તરલ પ્રવાહિત કર્યા, કુત્રિમ રક્ત પ્રવાહ વધાર્યો અને તેનું માથુ હાથથી ફરવા લાગ્યું.
જડબાંના હાંડકાની નીચે માથુના આધારે સ્થિત રક્ત વાહિકાઓ, રંગીન તરલને પહોંચાડવાની સાથોસાથ લાંબી થતી રહી અને ત્યાંસુધી લાંબી થતી રહી, જ્યાંસુધી આ રંગીન તરલ રક્ત ભંડારમાં જમા ના થયું. ઘુવડમાં જોવા મળતા આ ગુણધર્મ બિલકુલ અલગ છે અને મનુષ્યમાં તેવું નથી હોતુ. પરંતુ તેનાથી અલગ હોય છે. મનુષ્યમાં ગરદન ફેરવવાથી વાહિકાઓ નાની થઇ જાય છે.