For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય મૂળના લેખક બુકર પુરસ્કારની યાદીમાં સામેલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

british-flag
લંડન, 24 જુલાઇ: કલકત્તામાં જન્મેલા બ્રિટિશ નાગરિક નીલ મુખર્જી એકમાત્ર ભારતીય લેખક તરીક ઉભરી આવ્યા જેમનું નામ આ વર્ષના સાહિત્યિક 'મૈન બુકર પુરસ્કાર' મેળવનાર લેખકોની યાદીમાં સામેલ છે.

લંડનમાં રહેતા નીલ મુખર્જીનું આ પુરસ્કાર માટે પસંદગી તેમના ઉપન્યાસ 'ધ લાઇવ્સ ઓફ અધર્સ' માટે કરવામાં આવી છે. જેનું પ્રકાશન આ વર્ષે મે મહિનામાં થયું હતું. આ પુસ્તક લેખકના જન્મસ્થળ કલકત્તા પર આધારિત છે અને આ 1960ના દાયકામાં ઘોષ પરિવાર પર કેન્દ્રિત છે. ઓક્સફોર્ડ અને કેબ્રિજ યુનિવર્સિટીમાં ભણેલા નીલ મુખર્જી ઘણા સમાચાર પત્રોમાં ઉપન્યાસોની સમીક્ષા લખે છે. તેમના પ્રથમ ઉપન્યાસને 'ધ લાઇફ એપાર્ટ' ભારતમાં પુરસ્કાર મળ્યો હતો.

આ પુરસ્કાર માટે પસંદ થયેલા ઉપન્યાસોમાં બ્રિટનના છ, અમેરિકાના પાંચ અને એક ઓસ્ટ્રેલિયા તથા એક આયરલેંડનું છે. પુરસ્કારના 46 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર કોઇપણ નાગરિકતા વાળા લેખક માટે 50 હજાર પાઉન્ડ પુરસ્કાર રાખવામાં આવ્યો છે જે મૂળરૂપથી અંગ્રેજી ભાષામાં લખવામાં આવ્યો અને તેની રચના બ્રિટનમાં પ્રકાશિત થઇ છે.

English summary
Neel Mukherjee, a Kolkata-born British citizen, yesterday emerged as the only Indian-origin writer to be named in this year's Man Booker Prize longlist of authors vying for the prize in its debut as a global literary award.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X