આમિરે કર્યું રાહુલ દ્રવિડનું સમર્થન

આમિર અનુસાર શિક્ષા અને જાગરુકતા જ નહીં પરંતુ દોષી જાહેર થયેલા ખેલાડી પર અપરાધિક આરોપ લગાવવામાં આવવા જોઇએ અને આઇસીસીને એ તમામ સટ્ટોરિયાઓના નંબરો પર નજર રાખવી જોઇએ.
આમિરે સૂચન આપ્યું કે જ્યાં પર મેચ રમાઇ રહી હોય ત્યાં સ્થાનિક પોલીસની આઇસીસીએ મદદ લેવી જોઇએ અને ખેલાડી તથા અધિકારીઓ પર નજર રાખવી જોઇએ. જો કે, આને અંગતતાનું હનન માની શકાય છે પરંતુ ખેલની સફાઇ માટે જરૂરી છે કે કડક નિયમો અને અનુશાસનને લાગુ કરવામાં આવે. આ ધ્યાન આપવા યોગ્ય છે કે આમિર પર ત્રણ વર્ષનો ન્યુનતમ પ્રતિબંધ શનિવારે સમાપ્ત થઇ રહ્યો છે. સ્પોટ ફિક્સિંગમાં ભારતના પૂર્વ ખેલાડી રાહુલ દ્રવિડે માંગ કરી હતી કે તેને ગુનાની શ્રેણીમાં રાખવામાં આવે જેથી પ્રશંસકોનો રમત પર વિશ્વાસ યથાવત રહે.












Click it and Unblock the Notifications
