હરભજનસિંહના મતે ભારતનો આ ખેલાડી બીજો કપિલદેવ બની શકે છે!
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓફ સ્પિન બોલર હરભજન સિંહનું માનવું છે કે ઓવલ ખાતે ભારતીય ટીમની જીતમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર શાર્દુલ ઠાકુર 8 મા નંબર પર ભારતીય ટીમ માટે લાંબા ગાળાના ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી શકે છે.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓફ સ્પિન બોલર હરભજન સિંહનું માનવું છે કે ઓવલ ખાતે ભારતીય ટીમની જીતમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર શાર્દુલ ઠાકુર 8 મા નંબર પર ભારતીય ટીમ માટે લાંબા ગાળાના ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી શકે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચઘ ઓવલ ખાતે રમાઈ હતી, જેમાં શાર્દુલ ઠાકુરે બંને ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી, જે મેચ માટે મહત્વની સાબિત થઈ હતી, આ ઉપરાંત ત્રણ મહત્વની વિકેટ લઈ ટીમને જીત અપાવી હતી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા હરભજન સિંહે કહ્યું હતું કે, હું તેને 8 મા નંબર પર ભારતની બેટિંગ માટે રન બનાવતો જોવા માંગુ છું, ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં જ્યાં તમે બે સ્પિન બોલરો સાથે રમી શકતા નથી અને ટીમને તેમના મુખ્ય બોલરો સાથે વધારાના ઝડપી બોલરની જરૂર છે, જે નંબર 5 થી 7 વચ્ચે બેટિંગ કરી શકે. 8 માં નંબર પર બેટિંગ કરતી વખતે શાર્દુલ ઠાકુરમાં ઘણી ક્ષમતા છે, જ્યાં તે શક્ય તેટલા રન બનાવીને ટીમને જીતાડી શકે છે.
હરભજન સિંહને લાગે છે કે શાર્દુલ ઠાકુર ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર માટે ભારતીય ટીમનો વિકલ્પ હોઈ શકે છે, ખાસ કરીને હાર્દિક પંડ્યાની સર્જરી પછી બોલિંગમાં ઠાકુરને તેની જગ્યાએ સરળતાથી સ્થાન આપવામાં આવી શકે છે. IPL માં શાર્દુલ ઠાકુર સાથે ચેન્નાઈ સુપર કિંગ્સમાં સમય વિતાવનાર હરભજન સિંહને લાગે છે કે ખેલાડી રણજી ટ્રોફી અને IPL ટીમો માટે પણ ખૂબ જ વિશ્વસનીય ખેલાડી રહ્યો છે.
હરભજનસિંહે કહ્યું કે, જો તે તેની બેટિંગ પર કામ ચાલુ રાખે અને તેની બોલિંગ સાથે સખત મહેનત કરે તો તે ભારત માટે વિશ્વસનીય ઓલરાઉન્ડર શોધવાની સમસ્યા હલ કરી શકે છે અને તે આગામી કપિલ દેવ બની શકે છે. તેને બેટિંગ કરતા જોવો સારો અનુભવ છે અને જેમ જેમ તે સારી બેટિંગ કરવાનું ચાલુ રાખશે તેમ તેમ તેનો આત્મ વિશ્વાસ વધતો રહેશે.
આગળ વાત કરતા હરભજન સિંહે કહ્યું કે, તેને રણજી ટ્રોફીમાં મુંબઈ તરફથી રમતા વર્ષોથી શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેની હોમ ટીમ તેના પ્રદર્શન પર આધાર રાખે છે. તેની રમતને આગલા સ્તર પર લઈ જવાનો આ યોગ્ય સમય છે અને તેણે તે જ કર્યું. મને નથી લાગતું કે તેનું પ્રદર્શન સુધારવા માટે CSK કે અન્ય કોઈ IPL ફ્રેન્ચાઈઝીનો હાથ છે. તે વય અને સમય સાથે પરિપક્વ થઈ રહ્યો છે. તે હંમેશાથી સારો બોલર રહ્યો છે.
હરભજન સિંહે કહ્યું હતું કે, હું તેને 8 મા નંબર પર ભારતની બેટિંગ માટે રન બનાવતો જોવા માંગુ છું, ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં જ્યાં તમે બે સ્પિન બોલરો સાથે રમી શકતા નથી અને ટીમને તેમના મુખ્ય બોલરો સાથે વધારાના ઝડપી બોલરની જરૂર છે, જે નંબર 5 થી 7 વચ્ચે બેટિંગ કરી શકે. 8 માં નંબર પર બેટિંગ કરતી વખતે શાર્દુલ ઠાકુરમાં ઘણી ક્ષમતા છે, જ્યાં તે શક્ય તેટલા રન બનાવીને ટીમને જીતાડી શકે છે.
તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ છે અને 10 સપ્ટેમ્બરથી ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ યોજાશે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય












Click it and Unblock the Notifications
