સંઘર્ષમય સચિનના બચાવમાં ઉતર્યું બીસીસીઆઇ
મુંબઇ, 26 નવેમ્બર: સોમવારે મુંબઇ ખાતે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં 10 વિકેટથી ભારતનો પરાજય થયા બાદ બીસીસીઆઇ બચાવની મુદ્રામાં આવી ગઇ છે, ખાસ કરીને સતત નિષ્ફળ જઇ રહેલા સચિન તેંડુલકર માટે. તેંડુલકર ઇંગ્લેન્ડ સામેની બન્ને ટેસ્ટમાં નિષ્ફળ નિવડ્યો છે.

શુક્લાએ કહ્યું કે તેંડુલકરને કોઇ સલાહની જરૂર નથી અને જે લોકોને તેને સલાહ આપી રહ્યાં છે તેમણે સચિનના રેકોર્ડ પર નજર ફેરવી લેવી જોઇએ. તેમણે કહ્યું, ' સચિન નિવૃત્તિ અંગેનો નિર્ણય ત્યારે લેશે જ્યારે તેને એવું લાગશે કે હવે જવાનો સમય આવી ગયો છે. તેને એ માટે કોઇની સલાહની જરૂર નથી. તેના પર કોઇપણ પ્રકારની ટિપ્પણી કરતા પહેલા તેના રેકોર્ડ અને ભુતકાળના પ્રદર્શન પર નજર ફેરવી લેવી જોઇએ.'
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના પૂર્વ સુકાની સુનિલ ગાવસ્કરે કહ્યું હતું કે મુંબઇ ટેસ્ટ બાદ સચિન અંગે પસંદગીકારોએ વિચારવું જોઇએ. ત્રીજી અને ચોથી ટેસ્ટ માટેની ટીમની પસંદગી માટે પસંદગી સમિતિએ ટૂંક સમયમાં મળવું જોઇએ. ત્રીજી મેચ કોલકતા ખાતે પાંચ ડિસેમ્બરે રમાશે.
મુંબઇ ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાએ ધબડકો કરતા ઇંગ્લેન્ડ સામે માત્ર 57 રનનો લક્ષ્યાંક આવ્યો હતો. જે ઇંગ્લેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વગર મેળવી લીધો છે. ઇંગ્લેન્ડ તરફથી મળેલી 86 રનની લીડનો પીછો કરતા ભારતની ટીમ 142 રનમાં જ ઓલઆઉટ થઇ જતા ઇંગ્લેન્ડ સામે માત્ર 57 રનનો લક્ષ્યાંક આવ્યો હતો. ભારત તરફથી બીજી ઇનિંગમાં માત્ર ગૌતમ ગંભીરે સર્વાધિક 65 રન બનાવ્યા હતા. જ્યારે અશ્વિનને બાદ કરતા એક પણ ખેલાડી ડબલના આંકને પાર કરી શક્યો ન હતો. ઇંગ્લેન્ડ તરફથી પાનેસર 6 અને સ્વાને 4 વિકેટ મેળવી હતી. કૂકે 18 અને કોમ્પટોને 30 રન ફટકારી વિજય મેળવ્યો હતો.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી








Click it and Unblock the Notifications
