Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વિરાટ કોહલી અને અનુષ્કા વચ્ચે બીસીસીઆઇ બન્યુ ‘એક વિલન’

લંડન, 21 ઑગસ્ટઃ ઇંગ્લેન્ડમાં ટીમ ઇન્ડિયાની દુર્દશા બાદ હવે બીસીસીઆઇએ નક્કી કર્યું છેકે કોઇપણ પ્રવાસ દરમિયાન પત્ની અને પ્રેમિકાને સાથે લઇને જવાના મુદ્દે કડક પગલાં ભરવાનો નિર્ણય કર્યો છે.

એક અગ્રણી મીડિયા રિપોર્ટ અનુસાર બીસીસીઆઇએ ક્રિકેટર્સ સામે આકરા પગલા ભરવાની તૈયારી કરી લીધી છે. બીસીસીઆઇના આ નિર્ણયમાં ક્રિકેટર્સની પ્રેમિકાને વિદેશી પ્રવાસ પર જવાની અનુમતિ નહીં આપવામાં આવે. સાથે જ ક્રિકેટર્સ પોતાની પત્નીઓને પણ એક નક્કી સમય સુધી જ સાથે રાખવાની પરવાનગી આપશે.

બીસીસીઆઇનું માનવું છેકે, પ્રવાસ દરમિયાન મહિલાઓની હાજરીના કારણે ક્રિકેટર્સનું ધ્યાન રમત તરફથી હટી જાય છે. તેવામાં તેને પોતાની પ્રેક્ટિસ પર જેટલો સમય આપવો જોઇએ તેટલો સમય આપી શકતા નથી.

આ પણ વાંચોઃ- ફોર્મ સુધારવા કાઉન્ટીના શરણે પૂજારા, આ દિગ્ગજો પણ લઇ ચૂક્યા છે ભાગ
આ પણ વાંચોઃ- 11 ધર્મ આધારિત ઈન્ડિયન ટેસ્ટ ક્રિકેટની અજાણી વાતો
આ પણ વાંચોઃ- પૂર્વ સફળ સુકાની ગાંગુલીએ આપી ધોનીને 'કેપ્ટન્સી ટીપ્સ'

પત્નીઓ શહેર જોવાનો રાખે છે આગ્રહ

પત્નીઓ શહેર જોવાનો રાખે છે આગ્રહ

એક વરિષ્ઠ બીસીસીઆઇ અધિકારી અનુસાર બીસીસીઆઇએ જેટલી માહિતી એકઠી કરી છે, તેના પરથી લાગે છેકે જો ક્રિકેટર રમત પર ધ્યાન આપવા ઇચ્છે તો પણ પત્નીઓના કારણે આપી શકતા નથી. આ અધિકારીની વાત માનીએ તો ક્રિકેટર જીમ અથવા તો પછી નેટ્સ પર જવા માગે છે, પરંતુ તેમની પત્નીઓ શહેર જોવાનો આગ્રહ કરે છે.

બીસીસીઆઇની પોલીસીની થઇ હતી ટીકા

બીસીસીઆઇની પોલીસીની થઇ હતી ટીકા

આ મુદ્દો એટલા માટે પણ ચર્ચામાં છે, કારણ કે ઇંગ્લેન્ડ પ્રવાસ પર વિરાટ કોહલીના પ્રદર્શન બાદ બીસીસીઆઇની પત્નીઓ અને પ્રેમિકાને લઇને બનાવેલી પોલીસીની ખાસી એવી ટીકા થઇ હતી.

બીસીસીઆઇએ આપી હતી મંજુરી

બીસીસીઆઇએ આપી હતી મંજુરી

નોંધનીય છેકે, બીસીસીઆઇએ વિરાટ કોહલીને મંજુરી આપી હતી કે તે પોતાની પ્રેમિકા અને બૉલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માને ઇંગ્લેન્ડ પ્રવાસ પર સાથે લઇ જાય. બીજી તરફ ચેતેશ્વર પૂજારા, મુરલી વિજય, આર અશ્વિન, સ્ટુઅર્ટ બિન્ની અને ગૌતમ ગંભીરને પણ બોર્ડે પત્નીઓને સાથે લઇ જવાની પરવાનગી આપી હતી.

વિરાટના ખરાબ પ્રદર્શનનું કારણ અનુષ્કા

વિરાટના ખરાબ પ્રદર્શનનું કારણ અનુષ્કા

લોક ચર્ચાનુસાર વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શન પાછળ બીસીસીઆઇની આ નીતિ હતી. અન્ય એક મીડિયા રિપોર્ટ અનુસાર બોર્ડના સચિવ સંજય પટેલ તરફથી વિરાટ કોહલીને અનુષ્કા શર્માને સાથે લઇ જવાની મંજુરી આપવામાં આવી હતી. કોહલીએ પાંચ ટેસ્ટ મેચોમાં 10 ઇનિંગમાં માત્ર 134 રન જ બનાવ્યા હતા અને તેને અનેક ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X