દાલમિયા કરશે ક્રિકેટની છબીને 'સ્વચ્છ'
કોલકતા, 3 જૂનઃ બીસીસીઆઇ અધ્યક્ષ પદથી હટાવવામા આવ્યા બાદ અંદાજે સાડા છ વર્ષ પછી બીસીસીઆઇના અંતરિમ પ્રમુખ બનાવવામાં આવેલા વિવાદોથી ઘેરાયેલા જગમોહન દાલમિયા માટે જીવને ભલે કરવટ બદલી હોય પરંતુ તેઓ તેને એક વ્યક્તિની જીત માનતા નથી. દાલમિયા સ્પોટ ફિક્સિંગ પ્રકરણના કારણે ગંદી થયેલી ક્રિેકેટની છબીને સ્વચ્છ કરવાની જવાબદારીને એક પડકારના રૂપમાં લઇ રહ્યાં છે.
દાલમિયાએ ચેન્નાઇમાં બીસીસીઆઇની ઇમર્જેન્ટ વર્કિંગ કમિટીની બેઠકમા ભાગ લઇને પરત આવ્યા બાદ પત્રકારોને જણાવ્યું છે કે, આ કો વ્યક્તિની જીત નથી. સમયની જરૂરિયાત ક્રિકેટની છબીને સ્વચ્છ કરવાની છે. એ મારી ટોચની પ્રાથમિકતા છે. મારી પાસે આમ કરવા માટે સમય ઘણો ઓછો છે. મારે ઝડપથી કામ કરવું પડશે. મારે ક્રિકેટ બિરાદરીને એ સાબિત કરવું પડશે કે ક્રિકેટ સ્વચ્છ ખેલ છે. મારે લોકોમાં એ વિશ્વાસ પરત લાવવો પડશે.

વિવાદોથી ઘેરાયેલા રહ્યાં છે દાલમિયા
આઇસીસી અને બીસીસીઆઇના પ્રમુખ રહી ચુકેલા દાલમિયા અનેક વિવાદોમાં ઘેરાયેલા રહ્યાં છે. બોર્ડના નાણાનો દૂરુપયોગ કરવાનો આક્ષેપ કરતા તેમની સામે બોર્ડે કેસ કર્યો હતો અને તેમને બીસીસીઆઇમાંથી દૂર કરવામાં આવ્યા હતા. અગાઉ ટીવી રાઇટ્સ વેચવાના મામલે પણ એક વિવાદ સર્જાયો હતો અને તેના કારણે તેણે આઇસીસીની ખુરશી પણ છોડવી પડી હતી.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
