For Daily Alerts
કેપ્ટનશીપ અંગેનો નિર્ણય પસંદગીકારો કરશેઃ ધોની
કોલકતામાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ સાત વિકેટે પરાજય મળ્યા બાદ ધોનીએ આ વાત મીડિયાને કરી હતી.
ધોનીએ કહ્યું કે, મારા માટે એ કહેવું ઘણું સહેલું રહેશે કે હું સુકાની પદ છોડી રહ્યો છું અને માત્ર ટીમનો એક સભ્ય છું, પરંતુ તેમ કહેવું એ પોતાની જવાબદારીથી ભાગવા જેવું ગણાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તેના પર નીર્ણય કરશે.
મારી જવાબદારીએ છે કે ટીમને એકજૂટ કરીને આગામી મેચ માટે તૈયાર રહું. તેમ ધોનીએ કહ્યું છે. નોંધનીય છે કે, ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારત 1-2થી પાછળ છે.
ધોનીએ કહ્યું કે, જ્યારે તમારી ટીમ સારું પ્રદર્શન ના કરતી હોય ત્યારે તમારે ટીમને એકજૂટ કરવી પડે છે અને તેને સાચી દિશા દેખાડવાનો પ્રયાસ કરવો પડે છે.
કેપ્ટનશીપ અંગે પૂછતા તેણે આ નીર્ણય પસંદગીકારો પર છોડ્યો છે.
Comments
eden garden test india defeat m s dhoni india vs england ઇડન ગાર્ડન ટેસ્ટ ભારતનો પરાજય એમ એસ ધોની ભારત વિ ઇંગ્લેન્ડ cricket
English summary
Despite two successive humiliating defeats on home soil, Indian skipper Mahendra Singh Dhoni on Sunday refused to step down from captaincy.
Story first published: Sunday, December 9, 2012, 16:16 [IST]