ભાગ્યશાળી છું કે ભારત માટે રમવાની તક મળી: દ્રવિડ
નવી દિલ્હી, 2 મે: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહેલી રાજસ્થાન રોયલ્સ ટીમના કપ્તાન રાહુલ દ્રવિડે પોતાને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી સમ્માનિત કરવા બદલ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે તેમના માટે સમ્માનની વાત છે.
રૂપા એન્ડ કંપની લિમિટેડ દ્વારા આયોજિત સમ્માન સમારંભમાં દ્રવિડે કહ્યું કે 'એ સમ્માનની વાત છે. જ્યારે આપ રમવાની શરૂઆત કરો છો તો આપ પુરસ્કાર અને સમ્માન અંગે નથી વિચારતા. આપ એટલા માટે રમો છો કે આપને આ રમત સાથે પ્રેમ હોય છે અને રમવાનું જારી રાખવા માટે કોઇ કારણ નથી હોતું.'
દ્
દ્રવિડે જણાવ્યું કે તે ભાગ્યશાળી છે કે ભારત જેવા દેશમાં જ્યાં ક્રિકેટને ધર્મનો દરજ્જો પ્રાપ્ત છે, તેમને 16 વર્ષ સુધી દેશ માટે રમવાની તક મળી. દ્રવિડના કહેવા પ્રમાણે 'હું ખુબ જ ભાગ્યશાળી છું કે મે દેશ માટે ક્રિકેટ રમી, જે દેશની સૌથી મોટી રમત છે. અહીં તો તેને ધર્મનો દરજ્જો પ્રાપ્ત છે અને આવા દેશ માટે રમીને હું ધન્યતા અનુભવું છું.'