For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેલમાંથી છૂટ્યા બાદ શ્રીસંત બોલ્યો, 'નહીં ભૂલું એ 27 દિવસ!'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 જૂન: આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલામાં 27 દિવસ તિહાડ જેલમાં વિતાવી ચૂક્યા બાદ જામીન પર છૂટેલા રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર એસ શ્રીસંત હજી પણ આઘાતમાં છે. જેલમાં વિતાવેલા પોતાના જીવનના સૌથી ખરાબ દિવસોને તે યાદ કરીને કહે છે કે મેં જેલમાં વિતાવેલ તે 27 દિવસોને ક્યારેય નહીં ભૂલું.

શ્રીસંતે જણાવ્યું કે જેલમાં કાઢેલો મારો સમય ખૂબ જ ખરાબ હતો. અને મને આ સમય આખી જીંદગી યાદ રહેશે. શ્રીસંતે પોતાને નિર્દોષ ગણાવતા કહ્યું કે તેમને દેશની ન્યાય પ્રક્રિયા પર પૂરેપૂરો ભરોશો છે અને તેઓ તપાસ પ્રક્રિયામાં સંપૂર્ણ સાથ સહકાર આપશે.

sreesanth
શ્રસંતે કહ્યું કે તેઓ તપાસ પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ અને કાનૂનને સંપૂર્ણ મદદ કરશે. શ્રીસંતે જણાવ્યું કે તેમને આશા છે કે તેઓ પોતાને નિર્દોષ સાબિત કરી દેશે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્પોટ ફિક્સિંગમાં ધરપકડ કરાયેલ ક્રિકેટર એસ શ્રીસંત, અંકિત ચૌહાણ અને 17 અન્ય લોકો પર દિલ્હી પોલીસ દ્વારા મકોકા અંતર્ગત કડક કાનૂન લગાયા છતાં કોર્ટે તેમને જામીન આપી દીધા છે.

બંને ખેલાડીઓ ઉપરાંત કોર્ટે 17 અન્ય આરોપીઓને રાહત આપી છે. જેમાં 14 સટ્ટેબાજોનો સમાવેશ થાય છે. તેમને 50 હજાર રૂપિયાના બોન્ડ અને એટલા જ રૂપિયાના દંડ પર જામીન આપવામાં આવી.

English summary
'I will never forget that 27 days which i have spends in jail', Sreesanth said after come out from jail on bail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X