ચોંકાવનારો ખુલાસો: IPL મેચ ફિક્સિંગના માસ્ટર માઇન્ડે લીધું ધોનીનું નામ
નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી: ક્રિકેટના ટ્વેન્ટી-20 ફોર્મેટ આઇપીએલમાં મેચ ફિક્સિંગ સાથે જોડાયેલ એક એવી ખબર સામે આવી રહી છે જેને જાણ્યા બાદ આપના હોશ ઊડી જશે. સટ્ટેબાજીમાં દોષી સાબિત થયેલા ચેન્નાઇ સુપર કિંગ્સના માલિક અને શ્રીનિવાસનના જમાઇ ગુરુનાથ મયપ્પને ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોની પર આંગળી ચિંધી છે.
આઇપીએસ ઓફીસર સંપત કુમારની તપાસ રીપોર્ટમાં કેટલાંક સટ્ટેબાજોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ફિક્સિંગ મામલામાં જાણકારી મહેન્દ્ર સિંહ ધોનીને પણ હતી. અત્રે નોંધનીય છે કે મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલની ચેન્નઇ સુપર કિંગ્સના પણ કપ્તાન છે.
તપાસ દરમિયાન તેમણે કેટલાંક સટ્ટેબાજો સાથે પૂછપરછ કરી. તેમાં એક કિટ્ટી ઉત્તમ જૈને જણાવ્યું કે મયપ્પન ઉપરાંત ધોની, સુરેશ રૈના અને ટીમના અન્ય ખેલાડીઓ અને રાજસ્થાન રોયલ્સના કેટલાંક અન્ય ખેલાડીઓને મેચ ફિક્સિંગમાં સામેલ હોવાની જાણકારી હતી. પરંતુ વિક્રમ અગ્રવાલના નામના એક શખ્સે ઉત્તમને આ અંગે પોતાનું મોઢું નહીં ખોલવા જણાવ્યું હતું. ઉત્તમ જૈન ચેન્નઇનો રહેનાર છે જે સટ્ટેબાજીનો માસ્ટરમાઇન્ડ છે.