શું આ 2011ના સ્ટાર ખેલાડીઓ વગર વિશ્વકપ જીતી શકશે ભારત?
ટીમ ઇન્ડિયા હાલ વનડે ક્રિકેટ થકી પોતાના તમામ ટીકાકારોના મોઢે તાળા લગાવવામાં સફળ રહી છે. ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં જે કારમો પરાજય મળ્યો હતો તેના પછી વનડે શ્રેણી થકી ટીમ ઇન્ડિયાએ પુરનાગમન કરતા 3-1થી શ્રેણી જીતી લીધી. આ જોઇને દરેક ક્રિકેટ ચાહક ખુશ હશે, પરંતુ વાત જ્યારે આગામી વિશ્વકપ અંગે કરવામાં આવે તો ટીમમાં અનેક ઉણપો હોવાનું જણાઇ આવે છે. આગામી વર્ષે ભારત જ્યારે આઇસીસી વિશ્વકપ રમવા માટે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પહોંચશે ત્યારે તેના પર વિશ્વકપના ટાઇટલને જાળવી રાખવાનું દબાણ હશે, પરંતુ હાલની ટીમને જોવામાં આવે તો વિશ્વકપમાં બીસીસીઆઇ નવી ટીમને ઉતારવાનું વિચારી રહી છે અને જો એવું થાય તો ભારત માટે પોતાની બાદશાહતને જાળવી રાખવું મુશ્કેલ થઇ જશે.
વિશ્વકપ 2011માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારાઓમાંથી માત્ર ત્રણ ખેલાડી જ હાલની ટીમમાં છે. જેમાં સુકાની મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી અને સુરેશ રૈના. જ્યારે ભારતને આ ઐતિહાસિક પળો આપનારી આખી ટીમ બદલાઇ ગઇ છે. 2011માં મેન ઓફ ધ ટૂર્નામેન્ટ બનેલો યુવરાજ સિંહ ઘણા લાંબા સમયથી ટીમની બહાર છે. તો હરભજન અને ઝહીર ખાન માટે પણ ટીમમાં પરત ફરવું મુશ્કેલ છે. મુનાફ પટેલ જાણે કે ક્યાંક ગાયબ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. તો ગૌતમ ગંભીર અને વિરેન્દ્ર સેહવાગ પણ ટીમની બહાર છે. જ્યારે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની વાત કરવામાં આવે તો તેમણે નિવૃત્તિ લઇ લીધી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે શું આ ખેલાડીઓ વગર ભારત વિશ્વકપનો ખિતાબ પોતાની પાસે જાળવી રાખશે ખરું?

સચિન તેંડુલકર
ઇનિંગઃ- 9
રનઃ- 482
સર્વાધિકઃ- 120
એવરેજઃ- 53.55
સ્ટ્રાઇક રેટઃ-91.98
સદીઃ- 2
અડધી સદીઃ- 2

વિરેન્દ્ર સેહવાગ
ઇનિંગઃ- 8
રનઃ- 380
સર્વાધિકઃ- 175
એવરેજઃ- 47.50
સ્ટ્રાઇક રેટઃ-122.58
સદીઃ- 1
અડધી સદીઃ- 1

ગૌતમ ગંભીર
ઇનિંગઃ- 9
રનઃ- 393
સર્વાધિકઃ- 97
એવરેજઃ- 43.66
સ્ટ્રાઇક રેટઃ-85.06
અડધી સદીઃ- 4

યુવરાજ સિંહ
ઇનિંગઃ- 8
રનઃ- 362
સર્વાધિકઃ- 113
એવરેજઃ- 90.50
સ્ટ્રાઇક રેટઃ-86.19
સદીઃ- 1
અડધી સદીઃ- 4
વિકેટઃ- 15
શ્રેષ્ઠઃ-5/31

હરભજન સિંહ
ઇનિંગઃ- 9
વિકેટઃ- 9
શ્રેષ્ઠ પ્રદર્શનઃ- 3/53
ઇકોનોમીઃ- 4.48

ઝહીર ખાન
ઇનિંગઃ- 9
વિકેટઃ- 21
શ્રેષ્ઠ પ્રદર્શનઃ- 3/20
ઇકોનોમીઃ- 4.83

મુનાફ પટેલ
ઇનિંગઃ- 8
વિકેટઃ- 11
શ્રેષ્ઠ પ્રદર્શનઃ- 4/48
ઇકોનોમીઃ- 5.36
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
