ધોનીને હટાવો, કોહલીને સુકાની બનાવોઃ ગાવસ્કર

મને લાગે છે કે વિરાટમાં નેતૃત્વ કરવાની ક્ષમતા છે. ગાવસ્કરે કહ્યું કે આ અંગે સાકાર્મક દ્રષ્ટિકોણથી વિચારવું જોઇએ કારણ કે તેમાં ભવિષ્ય છૂપાયેલું છે. ધોની સુકાની તરીકે આ આખી શ્રેણીમાં નિષ્ફળ નિવડ્યો છે. તેના નેતૃત્વમાં કોઇ આક્રમકતા નહોતી જોવા મળી. જો ભારતને જીતની જરૂર હતી તો ધોનીએ ચોથા દિવસે સવારે જ ત્રીજા દિવસના સ્કોર પર ઇનિંગ ડિક્લેર કરવાની જરૂર હતી.
નોંધનીય છે કે, અમદાવાદ ટેસ્ટને બાદ કરતા ટીમ ઇન્ડિયા મુંબઇ, કોલકતા અને નાગપુરમાં ઇંગ્લેન્ડ સામે કોઇ ખાસ પ્રદર્શન કરી શકી નથી. જેના કારણે શ્રેણીમાં તેણે એક વિજયને બાદ કરતા બેમાં હાર અને એક મેચને ડ્રો કરવી પડી હતી. સતત કથળેલા પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયાના સીનિયર ખેલાડીઓ અને મહેન્દ્ર સિંહ ધોની પર પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ તૂટી પડ્યા છે.












Click it and Unblock the Notifications
