For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાઉદના સમધી મિયાંદાદને મળ્યા ભારત આવવાન વીઝા

By Super
|
Google Oneindia Gujarati News

Javed-Miandad
લાહોર, 2 જાન્યુઆરીઃ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ અબ્રાહિમના સમધી અને પૂર્વ પાકિસ્તાની સુકાની જાવેદ મિયાંદાદને ભારત આવવાના વીઝા મળી ગયા છે. તેમણે જાતે જ એ ખુલાસો કર્યો છે કે તે દિલ્હીમાં થનારી ભારત-પાકિસ્તાનની ત્રીજી વનડે જોવા માટે તે ભારત આવશે. પાકિસ્તાની સમાચાર પત્ર ડોનના અહેવાલ અનુસાર મિયાંદાદે કહ્યું કે મારા વીઝા અને ટીકીટ તૈયાર છે. હું છઠ્ઠી જાન્યુઆરીએ રમાનારી મેચ જોવા માટે દિલ્હી જવાનો છું.

નોંધનીય છે કે વર્ષ 2005માં દાઉદ ઇબ્રહિમની પુત્રી માહરુખના લગ્ન જાવેદ મિયાંદાદના પુત્ર જુનૈદ સાથે થયા હતા. વર્ષ 2005મા મીડિયામાં એવા અહેવાલ આવ્યા હતા કે જાવેદ મિયાંદાદ વીઝા માટે એપ્લાય કરશે તો તેમની અરજી સ્વિકારવામાં આવશે નહીં. જો કે, હવે જાવેદ મિયાંદાદે જાતે જ એ ખુલાસો કર્યો છે કે તેમને ત્રીજી વનડે જોવા માટેની ટીકીટ અને વીઝા મળી ગયા છે. તેમણે કહ્યું કે મને ભારતના વીઝા મળવામાં કોઇ મુશ્કેલી પડી નથી અને હું આ મોટા મુકાબલા માટે ભારત જવાને લઇને ઘણો જ ઉત્સાહિત છું.

આ પહેલા મિયાંદાદ વિશ્વકપ ક્રિકેટ દરમિયાન મોહાલીમાં રમાયેલી ભાર-પાક સેમીફાઇનલ મેચ જોવા માટે પણ આવવાના હતા પરંતુ અંતિમ સમયે તેમનું આવવાનું ટાળી દેવાયું હતું. મિયાંદાદ હાલ પીસીબીના બીજા સૌથી કદાવર અધિકારી છે.

English summary
Former Pakistan captain Javed Miandad disclosed on Tuesday that he will be witnessing the third Odi against India on Delhi on Jan 6 and has already received the visa for the same.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X