'ICC એ ગુરુનાથ અને બુકી અંગે કોઇ ચેતવણી નહોતી આપી'
નવી દિલ્હી, 1 જૂનઃ બીસીસીઆઇના અધ્યક્ષ એન શ્રીનિવસાને શુક્રવારે ફરીથી રાજીનામું આપવાનો ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું તે તેમને આઇપીએલમા સ્પોટ ફિક્સિંગ મામલે પોતાના જમાઇ ગુરુનાથ મયપ્પનને આઇસીસી તરફથી મળેલી કોઇ ચેતવણીની જાણકારી નથી. સ્પોટ ફિક્સિંગના તાજા મામલામાં તેમના જમાઇની ધરપકડ થયા પછીથી શ્રીનિવાસન પર રાજીનામું આપવા અને બોર્ડની બેઠક બોલાવવાનું દબાણ સતત થઇ રહ્યું છે.
સમાચાર ચેનલ એનડીટીવીએ શ્રીનિવાસનના હવાલાથી શુક્રવારે કહ્યું કે બીસીસીઆઇની કાર્યકારી સમિતિની આપાત બેઠક શનિવારે આઠ જૂને થશે. આ પહેલા એનડીટીવીએ શુક્રવારે મુંબઇ પોલીસના સૂત્રોના હવાલાથી કહ્યું હતું કે શ્રીનિવાસનના જમાઇ મયપ્પને આ મામલે પકડાયેલા બોલિવુડ અભિનેતા વિંદુ દારા સિંહને જણાવ્યું હતું કે આઇસીસીએ તેમને આઇપીએલની તેમની સ્વામિત્વવાળી ટીમ પ્રત્યે સચેત રહેવા કહ્યું હતું.

શ્રીનિવાસને જોકે મયપ્પનને આઇસીસી તરફથી મળેલી કોઇપણ પ્રકારની ચેતવણી અંગે અજાણ હોવાનું જાહેર કર્યું છે અને ફરીથી પોતાના રાજીનામાનો ઇન્કાર કર્યો છે. બીજી તરફ બીસીસીઆઇના સંયુક્ત સચિવ અનુરાગ ઠાકુરે શુક્રવારે કહ્યું કે તેમણે આ મુદ્દે ચર્ચા કરવા માટે બોર્ડની વિશેષ સામાન્ય બેઠક બોલાવવાની માંગ કરી છે. બોર્ડની આ વિશેષ બેઠક શનિવારે 8 જૂને બોલાવવામાં આવી છે. જો આ બેઠકમાં બોર્ડના ત્રણ ચોથાઇ સભ્ય શ્રીનિવાસન વિરુદ્ધ મતદાન કરે છે તો શ્રીનિવાસને રાજીનામું આપવું પડશે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે 18 એસોસિએશન શ્રીનિવાસન વિરુદ્ધ છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
