પરવેઝને તક ન આપવામાં આવતાં ભડક્યા ઉમર અબ્દુલા
શ્રીનગર, 3 ઓગષ્ટ: ટીમ ઇન્ડિયાના વર્તમાન પ્રવાસ દરમિયાન ઓલરાઉન્ડર પરવેઝ રસૂલને એકપણ મેચમાં તક આપવામાં ન આવતાં જમ્મૂ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમને બીસીસીઆઇને પ્રશ્ન કર્યો હતો કે શું પરવેઝ રસૂલનું મનોબળ તોડવા માટે ઝિમ્બાબ્વે મોકલવામાં આવ્યો હતો? તેને પોતાને સાબિત કરવાની એક તક આપવી જોઇતી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પરવેઝ રસૂલ ઘાટી તરફથી ટીમ ઇન્ડિયામાં સામેલ થનાર પ્રથમ ક્રિકેટર છે. ઝિમ્બાબ્વેના પ્રવાસ પર ગયેલી ભારતની પંદર સભ્યોવાળી ટીમમાં રસૂલ પરવેઝ એકમાત્ર એવા ખેલાડી છે જેમને હજુ સુધી સીરીઝમાં રમવાની તક આપવામાં આવી નથી. જ્યારે ગત ચાર મેચોમાં પોતાના વારાની રાહ જોઇ રહેલા આજિંક્ય રહાનેને આ મેચમાં તક આપવામાં આવી છે. આજે સીરીઝની છેલ્લી મેચ રમવામાં આવશે. જેમાં આશા હતી કે રસૂલ પરવેઝને તક આપવામાં આવશે, પરંતુ એવું ન બન્યું. જે મુદ્દે મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ નારાજગી વ્યક્ત કરી હતી.

રસૂલ પરવેખે ગત રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કરતાં 594 રન બનાવ્યા હતા અને 33 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ભારતના પ્રવાસે આવેલી ઓસ્ટ્રેલાઇ ટીમ વિરૂદ્ધ અભ્યાસ મેચ સાત વિકેટ ઝડપી હતી ત્યારથી તે ચર્ચામાં હતો. તેના પ્રદર્શનના આધારે તેનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ





Click it and Unblock the Notifications
