For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CLT20માં નહીં રમી શકે રોહિત, કેપ્ટન્સી માટે ભજ્જી-પોલાર્ડ રેસમાં

By Super
|
Google Oneindia Gujarati News

રાયપુર, 11 સપ્ટેમ્બરઃ મુંબઇ ઇન્ડિયન્સના કોચ જ્હોન રાઇટે પૃષ્ટિ કરી છેકે સુકાની રોહિત શર્માની આંગળી અને ખભામાં ઇજા હોવાના કારણે ચેમ્પિયન્સ લીગ ટી20 ટૂર્નામેન્ટમાં તે રમી શકશે નહીં. એવા સમાચાર મળી રહ્યાં છેકે રોહિત શર્માની અનઉપસ્થિતિમાં ટીમની કમાન હરભજન સિંહ અથવા તો કિરોન પોલાર્ડને આપવામાં આવી શકે છે. જોકે હજુ સુધી સુકાની પદને લઇને કોઇ ચર્ચા કરવામાં આવી નથી, કોચ જ્હોન રાઇટ અનુસાર આગામી 24 કલાકની અંદર ટીમના સુકાનીના નામની જાહેરાત થઇ શકે છે.

જ્હોન રાઇટે બુધવારે પત્રકારો સાથે કરેલી વાતચીત દરમિયાન કહ્યું કે, અમે આ નિર્ણય ઘણા લાંબા સમયથી ટાળી રાખ્યો હતો, કારણ કે અમને એવી આશા હતી કે રોહિત શર્મા ફીટ થઇ શકે પરંતુ એવું થઇ શક્યું નથી. અમે નવા સુકાનીની જાહેરાત આગામી 24 કલાકની અંદર કરી દઇશું. અમારી પાસે એવા ખેલાડીઓ છે, જેમણે પહેલા આ ભુમિકા નિભાવી છે અને તેઓ સફળ રહ્યાં છે. આ અંગે વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

આ પણ વાંચોઃ- વિરાટ કોહલી બન્યો ટી20 ક્રિકેટનો બાદશાહ, ભારત બીજા નંબરે
આ પણ વાંચોઃ- ICCએ કરી લાલ આંખ ને આ 10 બોલર પર લાગ્યો પ્રતિબંધ
આ પણ વાંચોઃ- આ વિસ્ફોટક બેટ્સમેનોએ ટી20માં કર્યો છે છગ્ગાનો વરસાદ

ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રોહિત શર્માને થઇ હતી ઇજા

ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રોહિત શર્માને થઇ હતી ઇજા

તાજેતરમાં જ ભારતીય ટીમે કરેલા ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રોહિત શર્માને જમણા હાથની આંગળીમાં ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેના ખભામાં દુખાવો થયો હતો. તેણે તાજેતરમાં જ બેંગ્લોરમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીની મુલાકાત લીધી હતી અને તપાસ બાદ એનસીએ ફિજિયોથેરેપિસ્ટે તેને ચાર અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી છે. બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ આઠમી ઓક્ટોબરથી શરૂ થનારી વનડે શ્રેણી પહેલા ફીટ થવા માટે તે એનસીએમાં અમુક સમય વિતાવી શકે છે.

પોલાર્ડને મળી શકે છે સુકાની પદ

પોલાર્ડને મળી શકે છે સુકાની પદ

બારબાડોસ ટ્રિડેન્ટ્સે પોલાર્ડની આગેવાનીમાં આ સત્રમાં વેસ્ટ ઇન્ડિઝના ઘર આંગાણાની લીગમાં સારું પ્રદર્શન કર્યું છે, આ ઉપરાંત હરભજન સિંહ અને શ્રીલંકન બોલર લસિથ મલિંગા પણ સુકાની પદની દૌડમાં છે. હરભજનના નેતૃત્વ હેઠળ મુંબઇ ઇન્ડિયન્સે 2011માં પોતાની પહેલું ચેમ્પિયન્સ લીગ ટાઇટલ જીત્યું હતું.

આરકેસીમાં પ્રેક્ટિસ શરૂ

આરકેસીમાં પ્રેક્ટિસ શરૂ

આરકેસીમાં સવારથી નાદર્ન નાઇટ્સ છત્તીસગઢની એ ટીમ સાથે અભ્યાસ મેચ રમી રહી છે. બપોરે 2 વાગ્યે મુંબઇ ઇન્ડિયન્સ છત્તીસગઢની બી ટીમ સાથે અભ્યાસ મેચ રમનારી છે.

લાહોર લાયન્સ ભારત પહોંચી

લાહોર લાયન્સ ભારત પહોંચી

ચેમ્પિયન્સ લીગ ટી20 ક્રિકેટમાં સામેલ થવા પાકિસ્તાનની ટીમ લાહોર લાયન્સ અને શ્રીલંકન ટીમ સદર્ન એક્સપ્રેસ પણ દિલ્હી પહોંચી ગઇ છે. જણાવવામાં આવી રહ્યું છેકે, દિલ્હીમાં પાકિસ્તાનની ટીમ લાહોર લાયન્સની સુરક્ષા માટે આઇબી એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.

English summary
Defending champions Mumbai Indians head coach John Wright today said that skipper Rohit Sharma will not play in the Champions League T20 tournament.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X