સેહવાગની ટીમમાંથી હકાલપટ્ટી, ઓઝાનો સમાવેશ

virender-sehwag
મુંબઇ, 7 માર્ચઃ ઓસ્ટ્રેલિયા સામેની આગામી બે ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. ક્રિકેટ પ્રેમીઓને આશા હતી તે પ્રમાણે જ સતત 10 ઇનિંગની નિષ્ફળ અને નાલેશીભર્યું પ્રદર્શન કરનાર વિસ્ફોટક વિરેન્દ્ર સેહવાગની ટીમમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે, જ્યારે તેના સ્થાને પ્રજ્ઞાન ઓઝાનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવતું હતું કે, સેહવાગના સ્થાને એક બેટ્સમેનને ટીમમાં સ્થા આપવામાં આવશે પરંતુ પસંદગી સમિતિ દ્વારા એક બેટ્સમેનના બદલે બોલરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સાથે જ એ વાત પણ જાણવા મળી રહી છે કે, વિરેન્દ્ર સેહવાગના બદલે શિખર ધવનને ટીમ ઇન્ડિયા તરફથી ટેસ્ટ મેચ રમવાની તક મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારતે શરૂઆતની બે ટેસ્ટ મેચ જીતી લીધી છે અને હાલ તે ઓસ્ટ્રેલિયા સામે 2-0થી આગળ છે. ભારત તરફથી મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, સચિન, ધોની અને કોહલી હાલ ફોર્મમાં જણાઇ રહ્યાં છે.

ટીમ ઇન્ડિયાઃ મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેંડુલકર, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શીખર ધવન, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, ભુવનેશ્વર કુમાર, આર અશ્વિન, હરભજન સિંહ, પ્રજ્ઞાન ઓઝા, અશોક ડિંડા, આંજિક્ય રહાણે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X