For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીકાઓની ચિંતા નથી કરતોઃ વિરાટ કોહલી

|
Google Oneindia Gujarati News

કટક, 2 નવેમ્બરઃ પોતાના ટીકાકારો પર નિશાન સાધતા ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ શનિવારે કહ્યું કે, તે પોતાની ટેક્નિકને લઇને ઉઠવવામાં આવેલા પ્રશ્નોની ચિંતા નથી કરતો. બારબતી સ્ટેડિયમમાં રવિવારે થનારી ભારત-શ્રીલંકા વનડે શ્રેણીની પહેલી મેચની પૂર્વ સંધ્યાએ ભારતીય ટીમના કાર્યવાહક સુકાની બનાવવામાં આવેલા વિરાટ કોહલીએ પત્રકારોને કહ્યું કે, વાતો લોકોની ચર્ચા માટે છે. મારો કહેવાનો અર્થ એ છેકે લોકો પાસે વાત કરવામાં માટે કંઇક હોવું જોઇ. મને એ વાતની ચિંતા નથી. મને નથી ખબર કે મે આ ટેક્નિક સાથે 25 સદી કેવી રીતે બનાવી. તમે એ ઉપર પર ચર્ચા કરી શકો છો.

virat-kohli-odi-srilanka
કોહલીએ પોતાની ટેક્નિક અંગે કહ્યું કે, હું મારી ફિટનેસ પર કામ કર્યું છે. ટેક્નિકલ વસ્તુના બદલે મે મારા આત્મવિશ્વાસ પર કામ કર્યું છે. મને નથી ખબર કે મારા ખરાબ સમયને લઇને આટલું હાઇપ કેમ બનાવવામાં આવી રહ્યું છે. તેમને કાંતો એવું લાગે છેકે મારો ખરાબ સમય નહોતો આવવો જોઇતો અથવા તો મારી પાસે રિમોટ છેકે હું પ્રત્યેક મેચમાં રન બનાવું. મને ખબર છેકે આ આખા ચરણમાં મે શું શીખ્યું છે. પ્રદર્શન સારું હોય કે ખરાબ હું તમામ વસ્તુને સામાન્ય રીતે લઉ છું. આ જીવનનો એક દિવસ છે.

કોહલીએ વધુમાં કહ્યં કે, વિકેટકીપર રિદ્ધિમાન સાહા શ્રીલંકા સામેની પહેલી વનડે રમવા માટે ફીટ છે. હાલ ટીમમાં તે એકમાત્ર વિકેટકીપર છે તેથી તેની સામે કોઇ પ્રશ્ન ઉઠાવી શકાય નહીં. તે ફીટ અને સારો છે. આ શ્રેણી ઘણી રોમાંચક રહેશે ખાસ કરીને વિશ્વકપ માટે ટીમના કેટલાક સ્થાન દાવ પર લાગેલા છે.

English summary
Hitting out at critics, India's star batsman Virat Kohli says he is not bothered about the questions being raised about his technique.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X