‘નિરાશ’ ઝહીર ખાનને આ વાતનો છે રંજ
ભારતના અનુભવી ઝડપી બોલર ઝહીર ખાને એ વાતને લઇને નિરાશા વ્યક્ત કરી છેકે તે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રમી શક્યો નથી. તેણે કહ્યું કે, આ શ્રેણીનો ભાગ બનવા માટે તે સખત મહેનત કરી રહ્યો હતો, પરંતુ ત્યાં જ તેને ઇજા થતા તે આ ટીમમાં સ્થાન મેળવી શક્યો નહીં.
ઝહીર ખાને એક ઇવેન્ટ દરમિયાન કહ્યું કે, હું ક્રિકેટને મિસ કરી રહ્યો છું. હું ઘણા લાંબા સમયથી ઇંગ્લેન્ડ પ્રવાસ અંગે તૈયારી કરી રહ્યો હતો અને એ જ કારણ છેકે આટલી તૈયારી કરી રહ્યો હતો ત્યારે જ મને ઇજા થઇ, પરંતુ તમે કેટલીક બાબતો પર નિંયત્રણ રાખી શકતા નથી. તેમણે કહ્યું કે, તમે ઇજા પર નિયંત્રણ કરી શકતા નથી અને એ વાત પણ મહત્વ નથી ધરાવતી કે તમે કેટલા ટ્રેન છો, આ એક વસ્તુ એવી છેકે જેના પર કોઇ સ્પોર્ટ્સમેન કન્ટ્રોલ કરી શકતો નથી. જે નિરાશ કરી મુકે તેવી છે.
આ પણ વાંચોઃ- ‘સેવા ગાઝા' કહેવું ભારે પડ્યું આ ઇંગ્લિશ બેટ્સમેનને
આ પણ વાંચોઃ- સાઉથમ્પટન ટેસ્ટઃ ભુવી-ધોનીએ બનાવ્યા અનોખા રેકોર્ડ
આઇપીએલ દરમિયાન ઝહીર ખાનને ઇજા પહોંચી હતી ઇને તેના કારણે તેને શ્રેણીમાંથી પણ બહાર રહેવું પડ્યું હતું. તેણે કહ્યું કે, હું મારી બોલિંગ પ્રેક્ટિસ ઑગસ્ટના પહેલા અઠવાડિયાથી શરૂ કરીશ અત્યારે હું બોલિંગ કરી શકુ તેમ નથી તેથી તેના પર કોમેન્ટ કરવી અઘરી ગણાશે. હું તેના પર કામ કરી રહ્યો છું, જોઇએ કઇ રીતે આ સમસ્યાનું નિરાકરણ આવે છે. આ અંગે વધુ જાણવા તથા ઝહીરના ઇંગ્લેન્ડ વિરુદ્ધ પ્રદર્શન પર નજર ફેરવવા તસવીરો પર ક્લિક કરો.

ઇજા અંગે શુ માને છે ઝહીર
ઝહીર ખાનનું કહેવું છેકે દરેક વસ્તુ યોગ્ય હોય અને તેમ છતાં તમને ઇજા થાય છે. ત્યારે કોઇપણ એ જાણી નથી શકતું કે આ કેવી રીતે થયું. મોટાભાગની ઇજા ત્યારે થાય છે જ્યારે તમે ઘણો એફર્ટ આપી રહ્યાં હોવ અને ત્યારે અચાનક જ કંઇક થઇ જાય છે.

ઝહીર શા માટે છે નિરાશ
ઝહીરે કહ્યું કે તમે બધું યોગ્ય કરતા હોવ, દરેક એંગલને કવર કરતા હોવ તેમ છતાં તમને ઇજા પહોંચે અને ત્યારે મોટાભાગના આવા કેસો આપણને નિરાશ કરે છે. જ્યારે તમને ઇજા પહોંચે છે ત્યારે તમે હંમેશા પોતાની જાતને એક પ્રશ્ન પૂછો છોકે બધું યોગ્ય હતું છતાં મારી સાથે આવું કેમ બન્યું.

ઇશાંત શર્માને થયેલી ઇજા અંગે
ઝહીર ખાને કહ્યું કે, તે ઇનફોર્મ ખેલાડી છે અને તેણે ગઇ મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું. તે ગેમમાં ટોચ પર હતો અને ત્યારે આ પ્રકારે ઇજા પહોંચે તે નિરાશાજનક છે કે તેને ત્યારે ઇજા પહોંચી જ્યારે ટીમને તેની જરૂર છે. હું આશા રાખું છું કે તેની ઇજા ગંભીર ના હોય અને તે ઝડપથી શ્રેણીમાં મદદરૂપ થઇ શકે.

ભુવનેશ્વર કુમાર અંગે
ઝહીર ખાને ભુવનેશ્વર કુમાર અંગે કહ્યું કે, તેણે બોલિંગ અને બેટિંગ એમ બન્ને ક્ષેત્રમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે જે પ્રકારે પ્રદર્શન કર્યું છે, તેનાથી લાગી રહ્યું છેકે તે એક ઓલરાઉન્ડર બનવા તરફ આગળ વધી રહ્યો છે. જોકે હું તેના પર કોઇપણ પ્રકારનું દબાણ કરવામાં આવે તેવું ઇચ્છતો નથી.

મોઇન અલી વિવાદ અંગે
ગાઝાને સમર્થન આપતી રિસ્ટબેન્ડ બાંધવાને લઇને ઇંગ્લેન્ડના ખેલાડી મોઇન અલીને આઇસીસી દ્વારા ચેતવણી આપવામાં આવી હતી, જેને લઇને ઝહીર ખાને કહ્યું છેકે, આ એક વ્યક્તિગત પસંદગી છેકે તમે કેવા પ્રકારની રિસ્ટ અથવા કેવા પ્રકારની કેપ પહેરવા માગો છે. અને તેના પર પ્રતિબંધ લાગવો ન જોઇએ.

ઝહીરનું ઇંગ્લેન્ડ વિરુદ્ધ પ્રદર્શન
કાર્યકાળઃ- 2002-2012
મેચઃ- 13
વિકેટઃ- 43
શ્રેષ્ઠ પ્રદર્શનઃ- 5/75

ઝહીર ખાનનું ટેસ્ટ ક્રિકેટમાં પ્રદર્શન
કાર્યકાળઃ- 2000-2014
મેચઃ- 92
વિકેટઃ- 311
શ્રેષ્ઠ પ્રદર્શનઃ-7/87
પાંચ વિકેટઃ- 11
દસ વિકેટઃ- 1
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
