ગોંડલ ગુજરાતના કાઠિયાવાડની ખાસ ઓળખ
એક પ્રવાસન માટે ભારતના પશ્ચિમી ભાગમાં સૌથી મોટા ગુજરાત માં ઘણું બધું છે. આ ખૂબ જ સુંદર રાજ્યએ પોતાની સ્થળાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતા માટે દેશ ઉપરાંત દુનિયાભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. આજે અમારા આર્ટિકલમાં અમે આપને અવગત કરાવવા જઇ રહ્યા છીએ ગુજરાતના એવા સુંદર શહેર અંગે જેણે એક રાજશી શાસનકાળને જોયું છે આ સ્થાન તેમના માટે છે જેમને ઇતિહાસમાં રસ અને વાસ્તુની સમજ હોય.
અમે વાત કરી રહ્યા છીએ ગોંડલની. ગોંડલ આઝાદી પહેલા કાઠિયાવાડીના આઠ રાજશી રાજ્યોમાંથી એક માનવામાં આવે છે. અત્રેના રાજાઓને કારો પ્રત્યે સમ્મોહન હતું અને માટે એ સમયે પણ ગુજરાતના ગોંડલમાં રોડની સ્થિતિ ખૂબ જ સારી હતી. ગોંડલની સ્થાપના 1643માં ઠાકુર શ્રી કુંભોજી પહેલા મેરામંજી દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ આ સ્થળને સર ભાગવત સિંઘજીના કાળમાં ખ્યાતી મળી જેમણે ગોંડલ પર આઝાદી મળવા સુધી શાસન કર્યું.
જો વાત પ્રવાસનની કરવામાં આવે તો આ સ્થાન તેવા લોકો માટે છે જે વાસ્તુ ઇમારતો અને મહેલોમાં રસ રાખે છે. સુરેશ્વર મહાદેવ મંદિર, ધરેશ્વર મહાદેવ મંદિર અને ભુવનેશ્વરી મંદિર ગોંડલના કેટલાંક પ્રસિધ્ધ ધાર્મિક સ્થળ છે. નીચે આપવામાં આવેલી સ્લાઇડરમાં જુઓ કે આપ ગોંડલની યાત્રામાં શું શું કરી શકો છો.
ગોંડલ ગુજરાતના કાઠિયાવાડની ખાસ ઓળખ જુઓ તસવીરોમાં...

કેવી રીતે જશો ગોંડલ
ગોંડલ જવા માટે પ્રવાસીઓ હવાઇ યાત્રા, રેલ યાત્રા અને સડક માર્ગનો ઉપયોગ કરી શકે છે. ફ્લાઇટ દ્વારા- રાજકોટમાં ઘરેલુ હવાઇ મથક છે અને રોજ મુંબઇથી રાજકોટની વચ્ચે ઘણી ઊડાનો ભરવામાં આવે છે. હવાઇમથકથી શહેર પહોંચવું બસ અને રિક્શાની મદદથી ખૂબ જ સરળ છે. ટ્રેન દ્વારા- રેલવેની મદદથી ગોંડલ રાજકોટ રેલવે સ્ટેશન દ્વારા પહોંચી શકાય છે. જે પશ્ચિમી રેલવેના અમદાવાદ-હાપા લાઇન પર આવે છે. રાજકોટથી મુખ્ય સ્થળો જેમકે મુંબઇ, કોઇમ્બટોર, દિલ્હી, અમૃતસર, ભોપાલ, કોલકાતા અને કોચીન માટે ટ્રેન ઉપલબ્ધ છે. સડક દ્વારા- ગોંડલ રાજકોટની નજીક સ્થિત છે જે ગુજરાતના બીજા શહેરોથી સારી રીતે જોડાયેલ છે. ઘણા રાજ્ય પરિવહન છે જે રાજકોટથી નજીકના શહેરો અને વિસ્તાર માટે ચાલે છે.
ફોટો કર્ટસી- Abhisek Sarda

અક્ષર મંદિર
અક્ષર મંદિર ગોંડલનું એક પ્રમુખ તીર્થ સ્થાન છે જે સ્વામી ગુનાતિતાનંદને સમર્પિત છે જે ભગવાન સ્વામી નારાયણના પહેલા ઉત્તરાધિકારી હતા. આ અક્ષર મંદિરના પ્રાંગણમાં જ સ્વામીની સમાધી છે જેને અક્ષર દેરી પણ કહે છે. દરેક વર્ષે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને પૂજા કરે છે.
ફોટો કર્ટસી- Chanchal Rungta

નવ લખા પેલેસ
17મી સદીમાં નિર્મિત આ સુંદર મહલનુમા ઇમારત ગોંડલના સૌથી જૂના ભવનોમાં શુમાર છે. જૂના વાસ્તુને દર્શાવતી આ ઇમારત પોતાનામાં અનોખી છે. આ ઇમારતમાં આપને નક્કાશીદાર મેહરાબ, આકર્ષક બારીઓ, પ્રાંગણ અને સુંદર સર્પિલ સીડીઓ દેખાશે. આ ઉપરાંત અહીં એક ખાનગી સંગ્રહાલય પણ છે. જો આપ ગોંડલમાં છો તો આ સ્થળની યાત્રા કરવી બિલકૂલ ના ભૂલો.
ફોટો કર્ટસી- Bernard Gagnon

રૉયલ ગેરાજ
ગોંડલના રૉયલ ગેરાજ વિશ્વ પ્રસિદ્ધ છે અને તેનો શ્રેય જાય છે રાજશી પરિવારને જેમના વિશિષ્ટ કારોનું સંગ્રહ ખૂબ જ પ્રસિદ્ધ છે. ગોંડલ પર રાજ કરનાર કારોના આટલા મોટા ભક્ત હતા કે રિવરસાઇડ મહેલ ના પ્રાંગણમાં આજે એક સંગ્રહાલય ઉત્કૃષ્ટ અને હેરાન કરી દેનાર કારોથી ભરેલું છે.
ફોટો કર્ટસી- Bharati Dftari

દાસી જીવન મંદિર
ગોંડલથી 6 કિલોમીટરના અંતરે ઘોઘાવદારમાં સ્થિત છે દાસી જીવન મંદિર અને આ સંત દાસી જીવનનું જન્મ સ્થળ પણ છે. ગુજરાતીઓના નવાવર્ષ દરમિયાન લોકો અહીં એકત્રિત થાય છે અને દાસી જીવનનું જન્મ દિવસ ઉજવે છે.
ફોટો કર્ટસી- Bharati Dftari

રિવરસાઇડ મહેલ
1875માં બનેલ રિવરસાઇડ મહેલ મહારાજા ભગવત સિંઘજી દ્વારા પોતાના પુત્ર યુવરાજ ભોજરાજી માટે બનાવવામાં આવ્યું હતું. આ મહેલ સુંદર બગીચાથી ઘેરાયેલ છે અને અત્રે બેસવાનું યોગ્ય ઇંતેજામ કરવામાં આવ્યો છે. આ મહેલને હવે એક ઉચ્ચતમ પરંપરાગત હોટલમાં ફેરવી દેવામાં આવ્યું છે.
ફોટો કર્ટસી- Bharati Dftari
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
