ગોપનાથ મહાદેવ મંદિર અને બીચની રમણીય તસવીરો..
ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકામાં દરિયા કિનારે ગોપનાથ ગામ આવેલ છે. દીવાદાંડીથી નજીક ભાવનગરના રાજવીઓએ બનાવેલો ગોપનાથ બંગલો પણ અહીં આવેલો છે જેને હાલમાં 'વિજય વિલાસ પેલેસ હોટેલ' તરીકે ઉપયોગમાં લેવાઇ રહ્યો છે.
તળાજા તાલુકાના દરિયા કિનારે સુંદર અને ઐતિહાસિક મહત્વ ધરાવતું ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર બરોબર દરિયા કિનારાએ આવેલું છે, જે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. માનવામાં આવે છે કે ગોપનાથ ગામમાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમ્યાન બનાવેલું મનાતું ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે. 1981ના ઑગષ્ટ મહીનામાં મંદીરનું સુંદર પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે.
કહેવામાં આવે છે કે ખંભાતના અખાતના આ દરિયાના કિનારા પર ભક્ત કવિ નરસિંહ મેહતાના આધ્યાત્મિક અનુભવોનો વારસો જોવા મળે છે. આ ઉપરાંત અત્રેના આજુબાજુના સ્થળો ઝાંઝમેર, મધુવન, મેથળાનો ૧૦ કિ.મી.નો તટ પ્રદેશ ખૂબ જ સુંદર છે. ફોટોગ્રાફીના રસીકોએ અત્રે ચોક્કસ આવવું જોઇએ. ભાવનગરથી આ સ્થળે આવવા માટે સરળતાથી સાધનો ઉપલબ્ધ છે.
ગોપનાથ મહાદેવ મંદિર અને બીચને જુઓ તસવીરોમાં...

ગોપનાથ મહાદેવ મંદિર અને બીચ
ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકામાં દરિયા કિનારે ગોપનાથ ગામ આવેલ છે.

શ્રી મોટા ગોપનાથ મહાદેવ મંદિર
શ્રી મોટા ગોપનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ

ગોપનાથ મહાદેવ મંદિર અને બીચની રમણીય તસવીરો..
દીવાદાંડીથી નજીક ભાવનગરના રાજવીઓએ બનાવેલો ગોપનાથ બંગલો પણ અહીં આવેલો છે જેને હાલમાં 'વિજય વિલાસ પેલેસ હોટેલ' તરીકે ઉપયોગમાં લેવાઇ રહ્યો છે.

ગોપનાથ મહાદેવ મંદિર અને બીચની રમણીય તસવીરો..
તળાજા તાલુકાના દરિયા કિનારે સુંદર અને ઐતિહાસિક મહત્વ ધરાવતું ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર બરોબર દરિયા કિનારાએ આવેલું છે, જે ઐતિહાસિક મહત્વ ધરાવે છે.

ગોપનાથ મહાદેવનું મંદિર
માનવામાં આવે છે કે ગોપનાથ ગામમાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમ્યાન બનાવેલું મનાતું ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે. 1981ના ઑગષ્ટ મહીનામાં મંદીરનું સુંદર પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે.

ગોપનાથ મહાદેવ મંદિર અને બીચને જુઓ તસવીરોમાં...
કહેવામાં આવે છે કે ખંભાતના અખાતના આ દરિયાના કિનારા પર ભક્ત કવિ નરસિંહ મેહતાના આધ્યાત્મિક અનુભવોનો વારસો જોવા મળે છે.

ગોપનાથ મહાદેવ મંદિર અને બીચને જુઓ તસવીરોમાં...
આ ઉપરાંત અત્રેના આજુબાજુના સ્થળો ઝાંઝમેર, મધુવન, મેથળાનો ૧૦ કિ.મી.નો તટ પ્રદેશ ખૂબ જ સુંદર છે.

બીચને જુઓ તસવીરોમાં...
ફોટોગ્રાફીના રસીકોએ અત્રે ચોક્કસ આવવું જોઇએ. ભાવનગરથી આ સ્થળે આવવા માટે સરળતાથી સાધનો ઉપલબ્ધ છે.













Click it and Unblock the Notifications
