હિન્દુઓ માટે સૌથી પવિત્ર ગણાય છે 'નર્મદા લઘુ પરિક્રમા'
હાલમાં અમે આપને નર્મદા જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળ વિશેની વિગતવાર માહિતી આપી રહ્યા છીએ. અત્યાર સુધી અમે આપને નર્મદા લધુ પરિક્રમા, સરદાર સરોવર ડેમ, ભરુચ, ચાંદોદ, શિવ મંદિર, કબીરવડ, રાજપીપળા, શૂળપાણેશ્વર વન્યસૃષ્ટિ અભયારણ્ય, રતનમહલ આળસુ રીંછ અભયારણ્ય, વિશાલ ખાડી પર્યાવરણીય કેમ્પસ્થળ, સમોટ - માલસમોટ પર્યાવરણીય કેમ્પસ્થળ વગેરેની તસવીરો સાથે મુલાકાત કરાવી ચૂક્યા છીએ. આવો આપણી આ યાત્રાને આગળ વધારીએ અને કરીએ નર્મદાની લઘુ પરિક્રમા.
નર્મદા નદી હિન્દુ ધર્મની સૌથી પવિત્ર સાત નદીઓ પૈકીની એક છે. આ પરિક્રમા એક હિન્દુ માટે કરવા જેવી સૌથી પવિત્ર બાબતો પૈકીની એક મનાય છે. તમે નદીની આજુબાજુ દક્ષિણાવર્ત દિશામાં ચાલો છો, દક્ષિણ કાંઠેથી સમુદ્ર તરફ અને સમુદ્રથી નદીના સ્રોત ઉત્તર તરફ, જેથી પવિત્ર સ્થળ હંમેશાં જમણી બાજુ રહે છે. આદર્શપણે યાત્રાળુ પોતાની સાથે કોઈ સામાન રાખતા નથી અને માર્ગ સૃષ્ટિ જે કોઈ આતિથ્ય દાખવે તેનો સહર્ષ સ્વીકાર કરે છે.
પ્રવાસ સહેજે 2600 કિમી.નો છે અને પૂરો થતા બેથી ત્રણ વર્ષ થાય છે. નદીની તમારી મુલાકાત દરમિયાન તમને આ પવિત્ર પરિક્રમા કરતા સાધુઓ મળે છે. યાદ રાખજો, નદી પરત્વેનો તમારો આદર દાખવવા તમારે તેમનો પંથ પાળવાનો નથી, કે તેમની જેમ આત્યંતિક બનવાનું નથી. નર્મદા સાથેની તમારી પ્રત્યેક ક્ષણ જાણે યાત્રા હોય તે રીતે ગાળો. નદી કાંઠેના નાના મંદિરો, આશ્રમો અને નહાવાના પવિત્ર ઘાટોની તમે જેમ જેમ મુલાકાત લો, તેમ તેમ નદીએ સર્જેલી શક્તિને તમારામાં પ્રવેશવા દો.
કેવી રીતે પહોંચશો અહીં:
નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે.
વાહન માર્ગેઃ ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે.સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય.
રેલ્વે દ્વારાઃ ભરૂચ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.
ઉડ્ડયન દ્વારાઃ સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા ખાતે આવેલું છે.

'નર્મદા લઘુ પરિક્રમા'
આવો આપણી આ યાત્રાને આગળ વધારીએ અને કરીએ નર્મદાની લઘુ પરિક્રમા.

નર્મદા નદી હિન્દુ ધર્મની સૌથી પવિત્ર નદી
નર્મદા નદી હિન્દુ ધર્મની સૌથી પવિત્ર સાત નદીઓ પૈકીની એક છે. આ પરિક્રમા એક હિન્દુ માટે કરવા જેવી સૌથી પવિત્ર બાબતો પૈકીની એક મનાય છે. તમે નદીની આજુબાજુ દક્ષિણાવર્ત દિશામાં ચાલો છો, દક્ષિણ કાંઠેથી સમુદ્ર તરફ અને સમુદ્રથી નદીના સ્રોત ઉત્તર તરફ, જેથી પવિત્ર સ્થળ હંમેશાં જમણી બાજુ રહે છે. આદર્શપણે યાત્રાળુ પોતાની સાથે કોઈ સામાન રાખતા નથી અને માર્ગ સૃષ્ટિ જે કોઈ આતિથ્ય દાખવે તેનો સહર્ષ સ્વીકાર કરે છે.

પવિત્ર પરિક્રમા
પ્રવાસ સહેજે 2600 કિમી.નો છે અને પૂરો થતા બેથી ત્રણ વર્ષ થાય છે. નદીની તમારી મુલાકાત દરમિયાન તમને આ પવિત્ર પરિક્રમા કરતા સાધુઓ મળે છે. યાદ રાખજો, નદી પરત્વેનો તમારો આદર દાખવવા તમારે તેમનો પંથ પાળવાનો નથી, કે તેમની જેમ આત્યંતિક બનવાનું નથી. નર્મદા સાથેની તમારી પ્રત્યેક ક્ષણ જાણે યાત્રા હોય તે રીતે ગાળો. નદી કાંઠેના નાના મંદિરો, આશ્રમો અને નહાવાના પવિત્ર ઘાટોની તમે જેમ જેમ મુલાકાત લો, તેમ તેમ નદીએ સર્જેલી શક્તિને તમારામાં પ્રવેશવા દો.

કેવી રીતે પહોંચશો અહીં:
નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે. વાહન માર્ગેઃ ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે.સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય.
રેલ્વે દ્વારાઃ ભરૂચ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.
ઉડ્ડયન દ્વારાઃ સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા ખાતે આવેલું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
