Chandra Grahan 2023 Live: આજે થશે વર્ષનુ પહેલુ ચંદ્ર ગ્રહણ, જાણો સમય, સ્થળ, સૂતક કાળ, પ્રભાવ...
Chandra Grahan 2023 Live: વર્ષનુ પહેલુ ચંદ્રગ્રહણ આજે લાગવા જઈ રહ્યુ છે. આજે બુદ્ધ પૂર્ણિમા પણ છે. આ ગ્રહણ આજે રાતે 8 વાગીને 46 મિનિટે શરુ થશે અને મધ્ય રાત્રિએ 1 વાગીને 2 મિનિટે પૂર્ણ થશે. જો કે, આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી અહીં સૂતક કાળ થશે નહીં.
આમ તો આ એક ખગોળીય ઘટના છે જે દર વર્ષે અવકાશમાં બનતી હોય છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણ ગર્ભસ્થ શિશુ માટે સારુ નથી હોતુ. આજે લાગનાર ચંદ્રગ્રહણની પળેપળની લાઈવ અપડેટ જાણવા માટે વનઈન્ડિયા ગુજરાતીનુ આ પેજ રિફ્રેશ કરતા રહો.

નાસા ગ્રહણનું લાઈવ સ્ટ્રીમ કરી રહ્યું છે.
LIVE: Watch the total lunar eclipse with NASA!
— NASA (@NASA) May 16, 2022
We're streaming eclipse views from around the world and talking with our lunar experts. Send us your Moon questions using #AskNASA: https://t.co/zhsa12QW50
હનુમાન ચાલીસાનો કરો પાઠ
ચંદ્રગ્રહણને લઈને ઘણી વાર મનમાં ઘણી મૂંઝવણ અને શંકા રહે છે. એવું કહેવું ખોટું નહીં હોય કે, ગ્રહણને કારણે મનમાં એક વિચિત્ર ડર રહે છે.
તેનાથી બચવા માટે દરેક વ્યક્તિએ ગ્રહણ દરમિયાન અને તે પછી પણ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, કારણ કે, આવું કરવાથી વ્યક્તિના તમામ ડર ખતમ થઈ જાય છે, કારણ કે સંકટ મોચન હનુમાનજી તમામ પ્રકારના ડરને તાત્કાલિક ખતમ કરી દે છે.
કર્ક રાશિ પર જ્યોતિષીય અસર
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, ચંદ્રગ્રહણ દરમિયાન કર્ક રાશિના લોકો મજબૂત ભાવનાત્મક પરિવર્તન અનુભવશે. તેઓ સામાન્ય કરતાં વધુ સંવેદનશીલ અને ભાવાત્મક અનુભવી શકે છે. કર્ક માટે આ સમય દરમિયાન પોતાની કાળજી લેવી અને સેલ્ફ કેરનો અભ્યાસ કરવો મહત્વપૂર્ણ છે.
આજના દિવસે આ દાન કરો
પૂર્ણિમાના દિવસે દાન કરવાની પરંપરા છે. આજે લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને ગરીબોને દાન આપે છે. આજે જો લોકો મોટા પ્રમાણમાં દાન કરે અને જરૂરિયાતમંદોને ભોજન કરાવે તો વ્યક્તિના દુઃખ દૂર થાય છે, તેને સુખ-સમૃદ્ધિ અને મોક્ષ મળે છે. તેમનુ જીવન હંમેશા ખુશીઓથી ભરેલુ રહે છે.
ભારતમાં દેખાશે આજનુ ચંદ્ર ગ્રહણ
TimeandDate.com મુજબ આજનું પેનમ્બ્રલ ચંદ્રગ્રહણ નવી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ, વારાણસી, મથુરા, પુણે, સુરત, કાનપુર, વિશાખાપટ્ટનમ, પટના, ઉટી, ચંદીગઢ, ઉજ્જૈન, વારાણસી, મથુરા જેવા ભારતીય શહેરો માટે ઇમ્ફાલ, ઇટાનગર, કોહિમામાં દેખાશે.
ગર્ભવતી મહિલાએ આ કામ ન કરવા
ગર્ભવતી મહિલા અને તેના બાળક માટે યોગ્ય નથી, તેથી સગર્ભા સ્ત્રીઓને ગ્રહણ દરમિયાન બહાર ન જવાની સલાહ આપવામાં આવે છે.ગર્ભવતી મહિલાઓને કાતર અથવા છરીનો ઉપયોગ કરવાની મનાઈ છે અથવા તેમણે કોઈ સીવણ કામ ન કરવુ જોઈએ કારણ કે આમ કરવાથી બાળકનો જન્મ કપાયેલા કાન અથવા નાક સાથે થઈ શકે છે.
આ ગ્રહણ રોગોમાં વધારો કરશે
ચંદ્રગ્રહણ રાત્રે 8:46 કલાકે શરૂ થશે. આ મુજબ તે વૃશ્ચિક રાશિ, તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં સ્થિત છે. ગ્રહણની શરૂઆતના સમયે છઠ્ઠા ભાવમાં મેષ રાશિમાં ગુરુ, રાહુ, સૂર્ય, બુધના સંયોગથી ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. રોગના સંયોગને કારણે આ ગ્રહણ રોગોમાં વધારો કરશે. ઘણા ચેપી રોગો ફેલાઈ શકે છે. નવા રોગો થઈ શકે છે.
ભારતમાં સૂતક કાળ નહિ
આજનુ ચંદ્રગ્રહણ ભારતમાં નહિ દેખાય. તેથી તેનો સુતક કાળ પણ અહીં માન્ય રહેશે નહીં. સુતક કાળ ન લાગવાને કારણે અહીં પૂજા કે કોઈપણ ધાર્મિક કાર્યો પર પ્રતિબંધ રહેશે નહીં. જો ચંદ્રગ્રહણ અસરકારક હોય, તો તેનો સુતક સમયગાળો ગ્રહણના 9 કલાક પહેલા શરૂ થાય છે અને આ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.
READ MORE












Click it and Unblock the Notifications
