Kali Chaudas Puja 2021 : જાણો શુભ મુહૂર્ત, વિધિ અને મહાત્યમ
કાળી ચૌદસને ભૂત ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી ચૌદસ મુખ્યત્વે પશ્ચિમી રાજ્યોમાં ખાસ કરીને ગુજરાતમાં મનાવવામાં આવે છે. દિવાળીના તહેવાર દરમિયાન ચતુર્દશી તિથિ દરમિયાન કાળી ચૌદસ મનાવવામાં આવે છે.
કાળી ચૌદસને ભૂત ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી ચૌદસ મુખ્યત્વે પશ્ચિમી રાજ્યોમાં ખાસ કરીને ગુજરાતમાં મનાવવામાં આવે છે. દિવાળીના તહેવાર દરમિયાન ચતુર્દશી તિથિ દરમિયાન કાળી ચૌદસ મનાવવામાં આવે છે.
કાળી ચૌદસનો દિવસ રૂપ ચૌદસ અને નરક ચતુર્દશી સાથે મિશ્રિત ન હોવો જોઈએ કારણ કે, તે નરક ચતુર્દશીના એક દિવસ પહેલા આવી શકે છે. કાળી ચૌદસનો દિવસ નક્કી કરવામાં આવે છે, જ્યારે ચતુર્દશી મધ્યરાત્રિ દરમિયાન પ્રવર્તે છે, જે પંચાંગ મુજબ મહા નિશિતા સમય તરીકે ઓળખાય છે.
કાળી ચૌદસની ધાર્મિક વિધિઓમાં અંધકારની દેવી અને વીર વેતાળની પૂજા અર્ચના કરવા માટે મધ્યરાત્રિ દરમિયાન સ્મશાન ગૃહની મુલાકાત લેવાનો સમાવેશ થાય છે, જ્યારે ચતુર્દશી મધ્યરાત્રિ દરમિયાન પ્રવર્તે છે, ત્યારે કાળી ચૌદસનો દિવસ નક્કી કરવામાં આવે છે.
મોટાભાગના પંચાંગ આવો ભેદ રાખતા નથી અને કાળી ચૌદસને રૂપ ચૌદસ અને નરક ચતુર્દશી સાથે સૂચિબદ્ધ કરે છે. આથી કાળી ચૌદસ તિથિ જોતી વખતે સાવધાન રહેવું જોઈએ.
આગળ કાળી ચૌદસને બંગાળ કાલી પૂજાને સમાન ગણવાની ભૂલ ન કરવી જોઈએ, જે કાલી ચૌદસના એક દિવસ બાદ મનાવવામાં આવે છે, જ્યારે અમાવસ્યા તિથિ મધ્યરાત્રિ દરમિયાન પ્રવર્તે છે.
કાલી એટલે શ્યામ (દુષ્ટ) અને ચૌદસ - ચૌદમો દિવસ. આમ, અશ્વિનના 14મા દિવસે ઉજવવામાં આવે છે, કાળી ચૌદસ એ મહા-કાળી અથવા શક્તિની ઉપાસના માટે ફાળવવામાં આવેલો દિવસ છે. માનવામાં આવે છે કે, આ દિવસે કાળીએ દુષ્ટ રક્તવિજાનો વધ કર્યો હતો.
આ સાથે આ દિવસને નરક-ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે, કાળી ચૌદસ આળસ અને દુષ્ટતાને દૂર કરવાનો દિવસ છે, જે આપણા જીવનમાં નરક બનાવે છે અને જીવન પર પ્રકાશ પાડે છે. અન્યની રક્ષા કરવાની શક્તિને કાલી તરીકે ઓળખવામાં આવે છે, અને જો તેનો ઉપયોગ ભગવાનના કાર્ય માટે કરવામાં આવે તો તેને મહાકાલી કહેવામાં આવે છે.
કાળી ચૌદસ ભગવાન હનુમાનની દંતકથા સાથે પણ જોડાયેલી છે. હનુમાનજી બાળપણમાં ખૂબ ભૂખ્યા હતા. સૂતી વખતે તેમણે આકાશમાં સૂર્ય જોયો અને તેને ફળ માનીને તેને લેવા ગયા હતા. તેમણે આકાશમાં ઉડાન ભરી અને સમગ્ર બ્રહ્માંડમાં અંધકારનું કારણ બનેલા સમગ્ર સૂર્યને તેના મુખમાં મૂક્યો હતો.
ભગવાન ઈન્દ્રએ હનુમાનજીને સૂર્ય પરત કરવાની વિનંતી કરી હતી. જ્યારે હનુમાનજીએ ના પાડી, ત્યારે ભગવાન ઈન્દ્રએ તેમનું વજ્ર છોડ્યું અને હનુમાનજીને પૃથ્વી પર પછાડીને સૂર્યને મુક્ત કરાવ્યા હતા.
આ દિવસે આપણે આપણા કુળદેવ તરીકે હનુમાનજીને દુષ્ટતાથી બચાવવા માટે પૂજન કરીએ છીએ. પૂજન તેલ, ફૂલ, ચંદન અને સિંદુરથી કરવામાં આવે છે. હનુમાનજીને નારિયેળ પણ અર્પણ કરવામાં આવે છે. આ સાથે તલ, લાડુ અને ચોખા સાથે ઘી અને ખાંડનો પ્રસાદ પણ ચડાવવામાં આવે છે.
કાળી ચૌદસની ધાર્મિક વિધિઓ દીપાવલીની ઉત્પત્તિનું ભારપૂર્વક સૂચન કરે છે. કારણ કે, લણણીનો તહેવાર કરવામાં આવે છે. આ દિવસે અર્ધ-રાંધેલા ચોખા (જેને પોહા અથવા પૌવા કહેવાય છે)માંથી સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. આ ચોખા તે સમયે ઉપલબ્ધ તાજી લણણીમાંથી લેવામાં આવે છે. આ રિવાજ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં ખાસ કરીને પશ્ચિમ ભારતમાં પ્રચલિત છે.
આ દિવસે માથું ધોઈને આંખોમાં કાજલ લગાવવાથી દુષ્ટ નજર દૂર રહે છે. કેટલાક કહે છે કે, જેઓ તંત્ર મંત્ર સાથે જોડાયેલા છે, તેઓ આ દિવસે તેમના 'મંત્રો' શીખે છે.
મૂળ જ્યાંથી છે, ત્યાં સ્થાનિક ગામ કે નગરમાં જઇને વૈકલ્પિક રીતે લોકો દેવીને નિવેદ (ભોજન) અર્પણ કરે છે. દુષ્ટ આત્માઓને દૂર કરવા માટે આ દેવીને તેમની 'કુળ દેવી' કહેવામાં આવે છે.
કેટલાક પરિવારો આ દિવસે તેમના વડવાઓને ભોજન પણ અર્પણ કરે છે. દિવાળીના બીજા દિવસને ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં કાળી ચૌદસ તરીકે ઓળખવામાં આવે છે. આ આદરને "કાળી ચૌદસ અથવા કાલ ચતુર્દશી" કહેવામાં આવે છે.
કાળી ચૌદસ 2021નો પૂજાનું મુહૂર્ત
- કાળી ચૌદસની પૂજાના મુહૂર્તનો સમય - રાત્રે 11:41 to 12:30, 04 નવેમ્બર
- શુભ મુહૂર્તની અવધી - 49 મીનિટ
- ચતુર્દશી તિથિ શરૂ થવાનો સમય - રાત્રે 9:02 કલાક, 3 નવેમ્બર
- ચતુર્દશી તિથિ પૂર્ણ થવાનો સમય - સવારે 6:03 કલાક, 4 નવેમ્બર