Karwa Chauth 2020: આજે કડવા ચોથ, જાણો તમારા શહેરમાં ક્યારે નીકળશે ચાંદ?
અમે લાવ્યા છે ચાંદ નીકળવાનો ટાઈમ, જેને જોઈને વ્રત કરનારી મહિલાઓ સરળતાથી ચાંદ નીકળવાનો સમય જાણી શકે છે અને પોતાનો ઉપવાસ ખોલી શકે છે.
નવી દિલ્લીઃ પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ અને ત્યાગનો પાવન પર્વ કડવા ચોથ આજે છે. આજના દિવસે પતિની લાંબી ઉંમરની કામના માટે પત્નીઓ આખો દિવસ ભૂખી-તરસી રહીને ઉપવાસ કરે છે. તે આજે આખો દિવસ પાણીનુ એક ટીપુ પણ ગ્રહણ કરતી નથી અને સાંજે તે કરવા માતા અને ગણેશ ભગવાનની પૂજા અર્ચના કરે છે અને ત્યારબાદ ચંદ્રમાને અર્ધ્ય આપ્યા બાદ પોતાના પતિના હાથે જળ ગ્રહણ કરીને પોતાનુ વ્રત ખોલે છે. આજના દિવસે ચાંદની આતુરતાથી રાહ જોવાય છે પરંતુ ચાંદ વાદળોમાં સંતાકૂકડી રમ્યા કરે છે માટે અમે લાવ્યા છે ચાંદ નીકળવાનો ટાઈમ, જેને જોઈને વ્રત કરનારી મહિલાઓ સરળતાથી ચાંદ નીકળવાનો સમય જાણી શકે છે અને પોતાનો ઉપવાસ ખોલી શકે છે.
દિલ્લી - રાતે 08:12 વાગે
પૂણે - રાતે 08:49 વાગે
નોઈડા - રાતે 08:12 વાગે
કોલકત્તા - રાતે 07:40 વાગે
અપરાહ્ર - રાતે 08:22 વાગે
મુંબઈ -રાતે 08:52 વાગે
ચેન્નઈ - રાતે 08:33 વાગે
ચંદીગઢ - રાતે 08:09 વાગે
ગુડગાંવ - રાતે 08:13 વાગે
બેંગલુરુ - રાતે 08:44 વાગે
હૈદરાબાદ - રાતે 08:32 વાગે
અમદાવાદ - રાતે 08:44 વાગે
છત્તીસગઢ - રાતે 08:32 વાગે
રાજસ્થાન - રાતે 08:25 વાગે
ગુજરાત - રાતે 08:44 વાગે
ઓરિસ્સા - રાતે 07:55 વાગે
પશ્ચિમ બંગાળ - રાતે 7:45 વાગે
કડવા ચોથની તિથિ અને શુભ મુહૂર્ત
કડવા ચોથની તિથિઃ 4 નવેમ્બર 2020એ
ચતુર્થી તિથિ પ્રારંભઃ 04 નવેમ્બરે સવારે 03 વાગીને 24 મિનિટ
ચતુર્થી તિથિ સમાપ્તઃ 05 નવેમ્બર દિવસ ગુરુવારે પ્રાતઃ કાળ 05 વાગીને 14 મિનિટે
કડવા ચોથ વ્રતનો સમયઃ 04 નવેમ્બરે સાંજે 05 વાગીને 34 મિનિટથી સાંજે 06 વાગીને 52 મિનિટ સુધી
કુલ સમયઃ કડવા ચોથની પૂજાનુ મુહૂર્ત 1 કલાક 18 મિનિટ
Karwa Chauth 2020: કડવા ચોથની પૂજામાં ચાળણી કેમ જરૂરી છે?