રાવણે મંદોદરીને જણાવેલા 'સ્ત્રીઓના 8 અવગુણો'
રામાયણ કાળમાં રાવણે પોતાની પત્ની મંદોદરીને સ્ત્રીઓના 8 અવગુણો વિશે જણાવ્યું હતું, આવો જાણીએ રાવણે સ્ત્રીઓના કયા કયા 8 અવગુણો જણાવ્યા હતા.
રાવણ નું નામ આવે એટલે લોકો હંમેશા ખરાબ જ વિચારવા લાગે છે, કારણ કે તેણે માતા સીતાનું હરણ કર્યું હતું. બહુ ઓછા લોકો જાણે છે કે લંકાપતિ રાવણ એક મહાપંડિત હતો, જેણે કઠોર તપસ્યા કરી ઘણું બધુ જ્ઞાન મેળવ્યું હતું.
રાવણની પત્નીનું નામ હતું મંદોદરી, જેને તે ખૂબ પ્રેમ કરતો હતો. રામચરિત માનસ પ્રમાણે જ્યારે રાવણે સીતાનું હરણ કર્યું ત્યારબાદ શ્રી રામ વાનર સેના સાથે લંકા પહોંચી ગયા હતા. ત્યારે મંદોદરી ગભરાઈ ગઈ હતી અને તેણે રાવણ પાસે જઈને કહ્યું હતું, કે તે સીતાને રામ પાસે પાછી મોકલી દે અને રામની માફી માંગી લે.
આ સાંભળ્યા બાદ રાવણ પોતાની પત્ની પર હસ્યો અને તેણે મંદોદરીને સ્ત્રીઓના આઠ અવગુણો જણાવ્યા. આવો જાણીએ આ 8 અવગુણો કયા કયા છે..

વધુ પડતું સાહસ
સ્ત્રીઓમાં વધુ સાહસ હોવું એ પહેલો અવગુણ છે. ઘણી વાર એવું બને છે કે, સ્ત્રીઓ પોતાના સાહસનું ખોટી જગ્યાએ પ્રદર્શન કરી દે છે, જ્યાં તેમણે ન કરવું જોઈએ. જેને કારણે તેઓ મુશ્કેલીમાં પડી શકે છે. સાહસને દુઃસાહસ ન બનાવવું જોઈએ.
જુઠ્ઠું બોલવાની ટેવ
સ્ત્રીઓનો બીજો અવગુણ છે વારંવાર તેમની જુઠ્ઠું બોલવાની ટેવ. રાવણે કહ્યું હતું કે, સ્ત્રીઓ નાની નાની વાતે જુઠ્ઠું બોલતી હોય છે, પણ તેમને એ ખબર નથી પડતી કે જુઠ્ઠું વધારે દિવસ છૂપાવી શકાતું નથી. ક્યારેક ને ક્યારેક તે બહાર આવી જ જાય છે.
ચંચળતા
સ્ત્રીનો ત્રીજો અવગુણ હોય છે ચંચળતા. સ્ત્રીઓનું મન વારંવાર બદલાયા કરતું હોય છે અને તેમના મનને જાણી શકવું ઘણું મુશ્કેલ હોય છે.
બીજાની વિરુદ્ધ કપટ કરવું
સ્ત્રીઓનો ચોથો અવગુણ છે બીજાની વિરુદ્ધ કપટ કરવું. જેનાથી પરિસ્થિતિ તેમને અનુકૂળ રહે. પોતાનું કામ કઢાવવા સ્ત્રીઓ શું શું કરે છે તેની પણ ચર્ચા અહીં રાવણે કરી છે.
જલ્દી ગભરાઈ જવું
રાવણના જણાવ્યા પ્રમાણે સ્ત્રીઓનો પાંચમો અવગુણ છે, જલ્દી ગભરાઈ જવું. સ્ત્રીઓ જેટલી સાહસી હોય છે, તેટલી જ જલ્દી ગભરાઈ પણ જાય છે. જો તેમને લાગે કે કામ તેમની મરજી પ્રમાણે નથી ચાલી રહ્યું તો તે બદલાવ જોઈને ડરી જાય છે.
થોડી ઘણી મૂર્ખ
છઠ્ઠા અવગુણ પ્રમાણે સ્ત્રીઓ થોડી ઘણી મૂર્ખ પણ છે. તે વિના સમજે વિચાર્યે કોઈ પણ નિર્ણય લઈ લે છે અને મોટી સમસ્યામાં પડી જાય છે. જે વાત તેમને ઘણા લાંબા સમય પછી સમજાય છે.
નિર્દયી હોવું
સ્ત્રીઓનો સાતમો અવગુણ છે નિર્દયીપણુ. સ્ત્રીઓને પુરુષોની સરખામણીએ દયાળુ માનવામાં આવે છે, પણ રાવણના કહેવા પ્રમાણે સ્ત્રીઓ નિર્દયી હોય છે. ઘણા બધા કિસ્સાઓમાં સ્ત્રીઓ બિલકુલ દયા દાખવતી નથી.
અપવિત્ર
આઠમો અવગુણ છે કે સ્ત્રીઓ ગમે તેટલી સુંદર હોય, સુંદર ઘરેણાં પહેરતી હોય, પણ તે સાફ-સફાઈનું ધ્યાન નથી રાખતી. જેને કારણએ રાવણે સ્ત્રીઓને અપવિત્ર કહી છે.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
