નિપાહ વાયરસથી નથી ડરતાં આ દાદી, રહે છે 400 ચામાચિડિયાં જોડે
જ્યાં એક બાજુ દેશભરમાં નિપાહ વાયરસે આતંક મચાવ્યો છે, ત્યાં બીજી બાજુ ગુજરાતના 74 વર્ષીય આ દાદી 400 ચામાચિડિયાં જોડે રહે છે. ચામાચિડિયાંએ દાદીના ઘરને પોતાનું ઘર બનાવી લીધું છે.
જ્યાં એક બાજુ દેશભરમાં નિપાહ વાયરસે આતંક મચાવ્યો છે, ત્યાં બીજી બાજુ ગુજરાતના 74 વર્ષીય આ દાદી 400 ચામાચિડિયાં જોડે રહે છે. ચામાચિડિયાંએ દાદીના ઘરને પોતાનું ઘર બનાવી લીધું છે. લગભગ એક દશકાથી આ ચામાચિડિયાં દાદીના ઘરે જ રહે છે. જ્યારે આ મહિલાને પણ ચામાચિડિયાથી ફેલાતા નિપાહ વાયરસનો ડર નથી. તેઓ કહે છે કે ચામાચિડિયા જ મારો પરિવાર છે.
આવો જાણીએ આ મહિલા વિશે જેઓ નિપાહ વાયરસના કહેરની ચિંતા કર્યા વિના આ ચામાચિડિયાં સાથે રહી રઈ છે. કોણ છે આ બેટ વિમેન અને કેમ એમને ચામાચિડિયાં સાથે રહેવું પસંદ છે?

ચામાચિડિયાવાળાં બાથી ઓળખાય છે
અમદાવાદથી 50 કિમી દૂર આવેલ રાજપુર ગામમાં રહેતા 74 વર્ષીય શાંતાબેનને આ વિસ્તારના લોકો ચામાચિડિયાવાળાં બા તરીકે જાણે છે.

ઘરમાં રહે છે 400 ચામાચિડિયાં
શાંતાબેને જણાવ્યું કે જ્યારથી મેં આંગણામાં જમવાનું અને ઊંઘવાનું શરૂ કર્યું ત્યારથી જ ચામાચિડિયા મારા ઘરે વધુ રહેવા લાગ્યાં. એક દશકા પહેલાં ચામાચિડિયાએ એમના ઘરે રહેવાનું શરૂ કર્યું હતું. જ્યારે એમના ઘરની કાચી દિવાલને એક સમૂહે પોતાનું ઘર બનાવ્યું હતું. બાદમાં એમની તાદાત વધતી ગઈ. ચામાચિડિયાના જુંડે ચારેય દિવાલને પોતાનો અડ્ડો બનાવી લીધો. શાંતાબેન બે માળ વાળી બિલ્ડિંગમાં રહે છે જેમાં ઉપરની છત પર ચામાચિડિયા રહે છે.

ચામાચિડિયા મારો પરિવાર છે
પતિના મૃત્યુ અને દીકરીઓના લગ્ન બાદ ચામાચિડિયા જ તેમની સાથે રહે છે. નિપાહ વાયરસ વિશે વાત કરતાં શાંતાબેન કહે છે કે આ બીમારી વિશે સાંભળ્યું છે પણ મને આનાથી કોઈ ડર નથી. આ ચામાચિડિયા મારો પરિવાર છે હું એક દશાથી એમની જોડે રહું છું. શાંતાબને પાસે ઘરે રહેનાર કોઈ નહોતું. કેમ કે તેમની ત્રણેય દીકરીઓના મેરેજ થઈ ગયા છે અને દીકરો મુંબઈ રહે છે. 30 વર્ષની ઉંમરે એમના પતિ કાનજીભાઈ પર વીજળી પડતા મૃત્યુ પામ્યા હતા. બાદમાં શાંતાબેને મહેનત મજૂરી કરીને બાળકોને મોટાં કર્યાં.

દુર્ગંધ હટાવવા માટે લીંબડો અને કપૂર સળગાવે છે
ચામાચિડિયાએ કરેલી ગંદકીને કારણે આવતી દુર્ગંધથી છૂટકારો મેળવવા માટે તેઓ લીમડો અને કપૂર સળગાવે છે. ચામાચિડિયાને અહીંથી દૂર કરવાની વાત પર એમણે કહ્યું કે એમને ભગાવનાર હું કોણ હોઉં છું, એમણે જ્યારે જવું હે ત્યારે જતાં રહેશે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
