અનોખી બેન્ક, જ્યાં ચાલે છે માત્ર ભગવાન રામનું ચલણ, એક લાખથી વધુ એકાઉન્ટ ધારકો
તમારી પાસે તમારું પોતાનું બેંક એકાઉન્ટ પણ હશે, જ્યાં તમે તમારી જમા પૂંજીને સુરક્ષિત રાખો છો. પોતાના બેંક એકાઉન્ટની મદદથી વ્યવહાર કરીએ છીએ
તમારી પાસે તમારું પોતાનું બેંક એકાઉન્ટ પણ હશે, જ્યાં તમે તમારી જમા પૂંજીને સુરક્ષિત રાખો છો. પોતાના બેંક એકાઉન્ટની મદદથી વ્યવહાર કરીએ છીએ, પરંતુ આજે અમે તમને જે બેંક એકાઉન્ટ વિશે જણાવવા જઈ રહ્યા છે તે થોડું અલગ છે. તે તેના પ્રકારની એક અનોખી બેંક છે. જ્યાં માત્ર ચલણ અલગ નથી, પરંતુ આ બેંક પાસે કોઈ ચેકબુક નથી, કોઈ પાસબુક નથી અને કોઈ એટીએમ કાર્ડ નથી. આ બેંકની બધી સેવાઓ સંપૂર્ણપણે મફત છે.
આ પણ વાંચો: OMG: છેલ્લા 30 વર્ષથી ફક્ત ચાઇ પર જ જીવે છે
અનોખી બેંક, જ્યાં ચાલે છે ભગવાન રામના નામની મુદ્રા
કુંભ 2019 (Kumbh 2019) માં એક અનોખી બેંક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ બેંકમાં કોઈ એટીએમ નથી અથવા ચેક બુક નથી. આ બેંકનું નામ પણ અનોખું છે. 'રામ નામ બેંક' ની સેવાઓ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. સૌથી ખાસ વાત એ છે કે આ રામ નામ બેંકમાં માત્ર 'ભગવાન રામની' મુદ્રા ચાલે છે અને વ્યાજ રૂપે આધ્યાત્મિક શાંતિ મળે છે.
આ બેંકની કોઈ ચેકબુક નથી અને કોઈ એટીએમ પણ નથી
જી હા, આ એવી બેંક છે જ્યાં આધ્યાત્મિક શાંતિ શોધતા લોકો લગભગ એક સદીથી ભગવાન રામનું નામ પુસ્તિકાઓમાં લખી જમા કરાવી રહ્યા છે. આ બેંકના મેનેજર આશુતોષ વાષ્ણેયના દાદાએ 20 મી સદીની શરૂઆતમાં જ આ સંગઠનની સ્થાપના કરી હતી. આશુતોષ હવે આ વારસાને આગળ ચલાવી રહ્યા છે. કુંભ મેળામાં આશુતોષે તેમના શિબિરનું આયોજન કર્યું છે, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. લોકો આ બેંકમાં ભગવાન રામના નામની લખેલી પુસ્તક જમા કરીને શાંતિ મેળવે છે.
1 લાખથી વધુ ખાતા ધારકો
આ બેંકમાં 1 લાખથી વધુ ખાતા ધારકો છે. આશુતોષના જણાવ્યા મુજબ વિવિધ વર્ગો અને વિવિધ ધર્મોના લોકો આ બેંકના ખાતાધારકો છે. લોકોએ ઉર્દુ, અંગ્રેજી અને બંગાળીમાં ભગવાન રામનું નામ લખી આ બેંકમાં જમા કરાવ્યું છે. આ બેંક એક સામાજિક સંસ્થા 'રામ નામ સેવા સંસ્થા' હેઠળ ચાલે છે અને ઓછામાં ઓછા નવ કુંભ મેળામાં તેને સ્થાપિત થઈ ચુકી છે. આ બેંકના સભ્યો પાસે 30-પાનાંની એક પુસ્તિકા છે, જેમાં તેઓ દરરોજ 108 કૉલમમાં 108 વાર "રામ નામ" લખે છે અને તેને તેમના ખાતામાં જમા કરે છે. પુસ્તકમાં ભગવાન રામનું નામ લાલ શાહીથી લખવામાં આવે છે.