PNB બેંકમાં વધુ એક ઘોટાળો, ભૂષણ પાવરે બેંકને 3800 કરોડનો ચૂનો લગાવ્યો
ડાયમંડ વેપારી નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્ક સાથે 2 અરબ ડૉલરની છેતરપિંડી કરી. પીએનબી આ કૌભાંડમાંથી નીકળી શક્યું ન હતું કે બેન્કમાં બીજો એક ઝાટકો લાગ્યો છે.
ડાયમંડ વેપારી નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્ક સાથે 2 અરબ ડૉલરની છેતરપિંડી કરી. પીએનબી આ કૌભાંડમાંથી નીકળી શક્યું ન હતું કે બેન્કમાં બીજો એક ઝાટકો લાગ્યો છે. ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડ (બીપીએસએલ) એ પંજાબ નેશનલ બેન્કને 3,800 કરોડ રૂપિયાથી વધુની રકમનો ચૂનો લગાવ્યો છે. પીએનબીએ બીપીએસએલ કંપનીના આ ફ્રોડની ફરિયાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને કરી છે.
રિપોર્ટ અનુસાર, આ દગાનો ખુલાસો ફોરેન્સિક ઑડિટમાં જાહેર કરવામાં આવ્યો હતો. ઓડિટમાં જણાવાયું છે કે ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિ. એ બેંકો પાસેથી ભંડોળ મેળવવા માટે દસ્તાવેજો અને એકાઉન્ટ્સમાં હેરફેર કરી છે. પીએનબીએ આ હેરાફેરી વિશે આરબીઆઈ સામે ફરિયાદ નોંધાવી છે. પીએનબીએ જણાવ્યું હતું કે ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડ દ્વારા રૂ. 3,800 કરોડની છેતરપિંડી જોવા મળી છે.
આ પણ વાંચો: 50000 રૂપિયાથી વધારેનું કેશ ટ્રાન્જેક્શન હવે પાન કાર્ડ વગર પણ થશે
કંપની અને તેના ડિરેક્ટર સામે સીબીઆઇ એફઆઈઆરના આધારે, બેંકે રિઝર્વ બેન્કને રૂ. 3,805.15 કરોડની છેતરપિંડીની જાણ કરી છે. કંપનીની આ છેતરપિંડીનો કેસ એનસીએલટીની સામે મૂકવામાં આવ્યો છે. બેન્ક દેવાની વસૂલાત કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: બજેટ 2019: આધાર અને પાન કાર્ડના નિયમોમાં આ 5 મોટા બદલાવ થયા, જાણો