50000 રૂપિયાથી વધારેનું કેશ ટ્રાન્જેક્શન હવે પાન કાર્ડ વગર પણ થશે
જો તમે પણ 50000 થી વધુનું કેશ ટ્રાન્જેક્શન કરો છો તો આ સમાચાર જરૂર વાંચો. જી હા, હવે 50000 રૂપિયાથી વધુના કેશ ટ્રાન્જેક્શન માટે,પાન કાર્ડને બદલે આધાર કાર્ડનો ઉપયોગ થઇ શકશે.
જો તમે પણ 50000 થી વધુનું કેશ ટ્રાન્જેક્શન કરો છો તો આ સમાચાર જરૂર વાંચો. જી હા, હવે 50000 રૂપિયાથી વધુના કેશ ટ્રાન્જેક્શન માટે,પાન કાર્ડને બદલે આધાર કાર્ડનો ઉપયોગ થઇ શકશે. આ ઉપરાંત, હવે આધાર કાર્ડનો ઉપયોગ તે બધા હેતુઓ માટે કરવામાં આવશે, જ્યાં સામાન્ય રીતે પાન આવશ્યક છે. તમને જણાવી દઈએ કે આ માહિતી મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેએ આપી હતી. પાંડેએ જણાવ્યું હતું કે બેન્કો અને અન્ય સંસ્થાઓ જ્યાં PAN નો ઉલ્લેખ કરવો ફરજિયાત છે, ત્યાં આધારને સ્વીકારવા માટે બેકએન્ડ અપગ્રેડ્સ કરશે.

આઇટીઆર ફાઈલ કરવા માટે પાન હવે ફરજિયાત નથી
જણાવી દઈએ કે બજેટ 2019 માં, નાણામંત્રી નિર્મલા સીતારમને ટેક્સપેયર્સની અનુકૂળતા માટે પાન અને આધારને ઇન્ટરચેંજેબલ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સાથે, આઇટીઆર ફાઇલ કરવા માટે પાનની જગ્યાએ આધારનો ઉપયોગ કરવાનો પણ પ્રસ્તાવ આપવામાં આવ્યો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જ્યાં પણ પાનનો ઉલ્લેખ કરવાની જરૂર હોય ત્યાં આધાર નંબર દ્વારા કામ કરી શકાય છે. જી હા, બ્લેકમની પર લગામ લગાવવા માટે 50000 રૂપિયાથી વધારે કેશ ટ્રાંઝેક્શન જેમકે હોટેલ અથવા વિદેશી મુસાફરી બિલ માટે PAN નો ઉલ્લેખ કરવો ફરજિયાત છે. આ ઉપરાંત 10 લાખ રૂપિયાથી વધુની અચલ સંપત્તિની ખરીદી પર પણ પાન આપવાનું હોય છે.
હાલમાં 22 કરોડ પાન-આધાર લિંક છે
સાથે જ, પાંડેએ કહ્યું કે હાલમાં 22 કરોડ પાન કાર્ડ આધાર સાથે લિંક છે. દેશમાં 120 કરોડથી વધુ લોકો પાસે આધાર છે. જો કોઈને પાન કાર્ડ જોઈએ તો, તેણે પહેલા આધારનો ઉપયોગ કરવાનો હોય છે, અને પાન જનરેટ કરવાનું હોય છે, પછી તે તેનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. હવે તેને આધારને કારણે પાન જનરેટ કરવાની જરૂર નથી. પૂછવામાં આવ્યું કે શું આધારનો ઉપયોગ 50,000 રૂપિયાથી વધારે કેશ ડિપોઝીટ અથવા વિડ્રોલમાં પાનને બદલે કરી શકાય છે, તેઓએ કહ્યું કે તે થઈ શકે છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
